IPLમાં હવે નહીં જોવા મળે ડ્વેન બ્રાવો, સંન્યાસની કરી જાહેરાત

ક્રિકેટ પ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક મોટુ નામ નહીં જોવા મળે. વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સના મહત્વના સભ્ય રહેલા ડ્વેન બ્રાવોએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

IPLમાં હવે નહીં જોવા મળે ડ્વેન બ્રાવો, સંન્યાસની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Dec 02, 2022 | 3:58 PM

ક્રિકેટ પ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક મોટુ નામ નહીં જોવા મળે. વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સના મહત્વના સભ્ય રહેલા ડ્વેન બ્રાવોએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે બ્રાવો હજુ પણ ખેલાડી તરીકે નહીં પણ કોચ તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ તો રહેશે. તે હવે બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ નંબરે બ્રાવો છે. આ પહેલા ચેન્નાઈની ટીમનો કોચ લક્ષ્મીપતિ બાલાજી હતા.

ગયા વર્ષે પ્રદર્શન નહતું રહ્યું સારૂ

ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધારે આઈપીએલ ટાઈટલ જીતવામાં બીજા નંબર પર છે. CSKએ 4 વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. ચેન્નાઈની ટીમ વર્ષ 2020માં અને 2022 માત્ર 2 વખત જ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

જાણો બ્રાવોના IPL કરિયર વિશે

બ્રાવોએ IPLમાં 161 મેચ રમી છે અને 183 વિકેટ લીધી છે. આ લીગમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. આ ઓલ રાઉન્ડર ખેલાડીએ 130ની સ્ટ્રાઈક રેટથી 1560 રન બનાવ્યા છે. તે 2011થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ બન્યો હતો અને આ ટીમની સાથે તેમને 2011, 2018 અને 2021માં 3 વખત આઈપીએલ ટ્રોફી ઉપાડી છે.

આ ફ્રેન્ચાઈઝી સિવાય તે 2 વર્ષ ગુજરાત લાયન્સ માટે પણ રમ્યા છે. બ્રાવોએ આઈપીએલ કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. ચેન્નાઈ માટે બ્રાવોએ 144 મેચ રમી અને 168 વિકેટ પોતાના નામે કરવાની સાથે જ 1556 રન બનાવ્યા. તે 2013 અને 2015માં લીગમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર રહ્યો અને પર્પલ કેપ મેળવવામાં સફળ રહ્યો.

ધોની સાથે નહીં જોવા મળે બ્રાવો

ગત સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવો 4.40 કરોડ રુપિયાની કિંમતે સામેલ થયો હતો. ધોનીની આગેવાની વાળી આ ટીમનો બ્રાવો સ્ટાર ખેલાડી હતો. વર્ષ 2011 થી બ્રાવો ચેન્નાઈની ટીમનો હસ્સો રહ્યો હતો. જોકે બ્રાવોને ચેન્નાઈની ટીમે રિલીઝ કરી દીધો છે. યલો જર્સીવાળી ટીમ અને બ્રાવો બંને કયા કારણોસર અલગ થયા એ તો સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં આ માટે બ્રાવોની ઉંમરનું કારણ અને ઈજાને બતાવવામાં આવી રહ્યુ છે. જોકે બ્રાવો ભલે ટીમમાં સામેલ નહીં હોય, પરંતુ હવે ફિલ્ડની બહારથી ચેન્નાઈનો સાથ નિભાવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">