IPL 2021 : વીરેન્દ્ર સહેવાગ આ વખતે MI ની હાર ઈચ્છે છે, ચાહકોને નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્તમાન ચેમ્પિયન છે. તેઓ લીગના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે, જેણે રોહિત શર્માની કેપ્ટનશીપમાં પાંચ વખત ખિતાબ જીત્યો છે.

IPL 2021 : વીરેન્દ્ર સહેવાગ આ વખતે MI ની હાર ઈચ્છે છે, ચાહકોને નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ
Mumbai Indians
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 1:42 PM

IPL 2021 : રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ગત સિઝનની ચેમ્પિયન પણ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

ટીમ હાલમાં 11 મેચમાંથી પાંચ જીત અને 10 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના ચાહકો ટીમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જોકે, પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) નથી ઈચ્છતા કે મુંબઈની ટીમ ફરી એક વખત ચેમ્પિયન બને.

આઈપીએલ (Indian Premier League)ના બીજા તબક્કાની સફર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સરળ રહી નથી. યુએઈ આવ્યા બાદ તેને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમે પંજાબ કિંગ્સ પર જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી હતી. મુંબઈ ઈન્ડિયન્સ પાસે ત્રણ મેચોના રૂપમાં ત્રણ તકો છે. જો તે ત્રણેય જીતી જશે, તો તેની પાસે પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની દરેક તક હશે. જોકે વીરેન્દ્ર સહેવાગ આ નથી ઈચ્છતો. તેનું માનવું છે કે, ચાહકોને IPL 2021 (Indian Premier League)માં નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વીરેન્દ્ર સહેવાગ નવા ચેમ્પિયન જોવા માંગે છે

એક સમાચારની વેબસાઈટ સાથે વાત કરતા, ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું, “હું નથી ઈચ્છતો કે, મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આ વર્ષે ટોચ પર આવે, નવી ટીમે ક્વોલિફાય થવું જોઈએ અને આપણે નવો ચેમ્પિયન મેળવવો જોઈએ.” તે બેંગ્લોર, દિલ્હી અથવા પંજાબ હોઈ શકે છે પ્લે ઓફ માટેનો રસ્તો અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે સરળ નથી.

આ અંગે સેહવાગે કહ્યું કે, ‘મુંબઈ આઈપીએલ (Indian Premier League)ની શ્રેષ્ઠ ટીમ છે અને તે પણ જાણે છે કે, કેવી રીતે પલટવાર કરવો, પરંતુ મુંબઈને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે, તો જ તે આમાં સ્થાન મેળવી શકશે. જો કે, મુંબઈ માટે આગામી તમામ મેચ એટલી સરળ નહીં હોય.

ઇતિહાસ મુંબઈ ઇન્ડિયન્સ સાથે છે

તેણે આગળ કહ્યું, કેટલીકવાર તમે ભૂલો કરો છો જ્યારે તમે જીતવા માટે તલપાપડ છો અને તે ભૂલો તમારી હાર તરફ દોરી જાય છે, પરંતુ મુંબઇના ઇતિહાસ પર નજર કરીએ તો, જ્યારે પણ તેઓ પોતાની જાતને એવી સ્થિતિમાં શોધે છે કે જો તેમને મેચ જીતવી હોય તો કરો અથવા મરો. પછી તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. તેથી, જો આપણે ઇતિહાસ પર નજર નાખીએ, હા મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તેનું પુનરાવર્તન કરી શકે છે, પરંતુ હું ઇતિહાસમાં બહુ વિશ્વાસ કરતો નથી.

આ પણ વાંચો : IPL 2021 RR vs CSK Live Streaming: ધોનીની ચેન્નાઇ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ, જાણો ક્યા, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">