ધોની નહી સહેવાગ હતો CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) મનગમતી ટીમ પૈકીની એક છે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ). આઈપીએલ ટુર્નામેન્ટમાં આ ટીમની સફળતા પાછળ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ અને પ્રતિભાશાળી ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ મહત્વનો છે. મહેન્દ્રસિંહ ધોની પહેલી જ સિઝનથી ચેન્નાઈ સુપર કિગ્સનો ભાગ રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ચેન્નાઈ સુપર કિગ્સ […]
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) મનગમતી ટીમ પૈકીની એક છે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ). આઈપીએલ ટુર્નામેન્ટમાં આ ટીમની સફળતા પાછળ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ અને પ્રતિભાશાળી ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ મહત્વનો છે.
મહેન્દ્રસિંહ ધોની પહેલી જ સિઝનથી ચેન્નાઈ સુપર કિગ્સનો ભાગ રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ચેન્નાઈ સુપર કિગ્સ માટે મહેન્દ્રસિંહ ધોની પહેલી પસંદ નહોતો. ચેન્નાઈ સુપર કિગ્સ માટે વિસ્ફોટક બેટીગ માટે જાણીતો વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) પ્રથમ પંસદગી હતો. અને તેને જ સીએસકેની ટીમના કેપ્ટન બનાવવા માંગતી હતા ફ્રેન્ચાઈઝી. આ ચોકાવનારો ખુલાસો કર્યો છે પૂર્વ ખેલાડી સુબ્રમણ્યમ બદ્રીનાથે.
ચેન્નાઈ સુપર કિગ્સે મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની પહેલી લિલામીમા ખરીદયો હતો. ચેન્નાઈ સિવાયની આઈપીએલની અન્ય સાત ટીમે આઈકન ખેલાડીને કેપ્ટન બનાવ્યા હતા. માત્ર ચેન્નાઈ સુપર કિગ્સ પાસે જ આઈકન ખેલાડી નહોતો. આથી જ સીએસકે એ લિલામીમાં મહેન્દ્રસિંહ ધોનીને ખરીદયો હતો.
પોતાની યુટુયબ ચેનલ ઉપર ખુલાસો કરતા એસ બદ્રીનાથે, ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, વિરેન્દ્ર સેહવાગને પોતાની દિલ્લીની જ ટીમમાંથી જ રમવાની ઈચ્છા દર્શાવી હતી. માટે જ ચેન્નાઈએ પોતાની પ્રથમ પસંદગી બદલવાની ફરજ પડી હતી. 2008માં શરૂમાં જ ચેન્નાઈ સુપર કિગ્સના મેનેજમેન્ટે વિરેન્દ્ર સેહવાગે ના પાડ્યા બાદ, ભારતને ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો