ક્રિકેટર પાર્થિવ પટેલે પણ હવે વિરાટ કોહલી સામે આપ્યું નિવેદન, કહ્યુ રોહિત બને કેપ્ટન, કોહલીમાં કાબેલીયતનો અભાવ

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચમી વખત ચેમ્પિયન્સ બનાવ્યા પછી રોહિત શર્માને આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની માગ હવે તેજ બની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ચર્ચામાં હવે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનુ પણ બયાન સામે આવ્યુ છે. તેમનુ પણ કહેવુ છે કે, રોહિત શર્માએ ટી20 માં ભારતની કેપ્ટનશીપ નિભાવવી જોઇએ. પાર્થીવનુ કહેવુ છે કે રોહિત […]

ક્રિકેટર પાર્થિવ પટેલે પણ હવે વિરાટ કોહલી સામે આપ્યું નિવેદન, કહ્યુ રોહિત બને કેપ્ટન, કોહલીમાં કાબેલીયતનો અભાવ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 25, 2020 | 4:37 PM

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચમી વખત ચેમ્પિયન્સ બનાવ્યા પછી રોહિત શર્માને આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની માગ હવે તેજ બની છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની ચર્ચામાં હવે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનુ પણ બયાન સામે આવ્યુ છે. તેમનુ પણ કહેવુ છે કે, રોહિત શર્માએ ટી20 માં ભારતની કેપ્ટનશીપ નિભાવવી જોઇએ. પાર્થીવનુ કહેવુ છે કે રોહિત શર્મા વધારે શાંત રહે છે. સાથે જ તે ખેલાડીઓને ખુબ જ સપોર્ટ પણ કરે છે, તેમજ તે એ પણ જાણે છે કે મોટી ટુુર્નામેન્ટ કેવી રીતે જીતી શકાય છે. પાર્થિવ આઇપીએલમાં રોહિત અને વિરાટ બંનેની કેપ્ટનશીપમાં રમી ચુક્યો છે. તે ત્રણ વર્ષ સુધી મુંબઇ ઇન્ડિયન્સમાં રહ્યો છે. હવે તે પાછળની ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્ટોર સ્પોર્ટસના શો સ્પોર્ટસ કનેકટેડમાં પાર્થિવ પટેલે આ પ્રકારની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, હું આ બંને ની કેપ્ટનશીપ હેઠળ રમી ચુક્યો છુ. બંનેની સાથે ત્રણ ત્રણ વર્ષ સાથે રહ્યો છુ. એવુ નથી કે હું કોઇ એક કેપ્ટનની સાથે એક જ વર્ષ રમ્યો છુ અને બીજા સાથે કેટલાક વર્ષો. જે રીતે રોહિત શર્મા કેપ્ટનશીપ કરે છે, તે મને પસંદ છે. તે મેદાન પર શાંત રહે છે. દબાણમાં તે શ્રેષ્ઠ નિર્ણય કરે છે. મારા હિસાબ થી ટીમ બનાવવાની રીતે તે એક બહેતર કેપ્ટન છે.

પાર્થિવે કહ્યુ કે, રોહિત પોતાના થી નિર્ણય લેવા માટેની કાબેલિયત રાખે છે. જ્યારે કોહલી અન્ય ખેલાડીઓની સલાહના આધાર પર ટીમની રણનીતી બનાવે છે. તેણે કહ્યુ કે, મેં રોહિત શર્માને મુશ્કેલ સ્થિતીમાં પણ ખુદ નિર્ણય લેતો જોયો છે. જ્યારે વિરાટ બાકીના ખેલાડીઓના ભરોસે રહે છે. જ્યારે પ્રેશર વાળી મેચની વાત આવે છે ત્યારે, રોહિત શર્માની પાસે ટીમને સંભાળવા માટે વધારે અનુભવ છે. તે જે રીતે મોકા પર નિર્ણય કરી લે છે તે ટીમના પક્ષમાં જ જાય છે.

પાર્થિવે કહ્યુ હતુ કે, તે વિરાટના વિરોધમાં નથી. પરંતુ કોહલીને રોહિતની જેમ ટુર્નામેન્ટ જીતવાનુ નથી આવડતુ. તેણે 2017 ની  ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 ના વર્લ્ડ કપનુ ઉદાહરણ આપ્યુ અને કહ્યુ કે, અહી વિરાટ ની કેપ્ટનશીપમાં ટીમ જીતી નથી શકી. પાર્થીવે આ અંગે કહ્યુ હતુ કે, અમે એ નથી કહી રહ્યા કે વિરાટ એક ખરાબ કેપ્ટન છે.

વાત એ છે કે કયા કેપ્ટને વધારે ટુર્નામેન્ટ જીતી છે. ટુર્નામેન્ટ જીતવા માટે તમારે એ જાણવુ જરુરી છે કે, તમે એ ટુર્નામેન્ટ કેવી રીતે જીતશો. હવે વિરાટ કોહલીએ કંઇ નથી જીત્યુ. જ્યારે વાત મુશ્કેલ સ્થિતીની આવે છે ત્યારે તમે નિર્ણય લેવામાં પાછળ રહો છો, જે ભારતીય ટીમની સાથે 50 ઓવર ના વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રરોફી ફાઇનલમાં થયુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">