WTC Final: વિરાટ કોહલી એ કેપ્ટનશીપ અને બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કર્યા આ ખાસ મુકામ જાણો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સાઉથમ્પટનના મેદાનમાં ઉતરતા એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં રનને લઇને આ ખાસ મુકામ હાંસલ કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ, ટોસ હારીની પ્રથમ બેટીંગમાં ઉતર્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સાઉથમ્પટનના મેદાનમાં ઉતરતા એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં રનને લઇને આ ખાસ મુકામ હાંસલ કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ, ટોસ હારીની પ્રથમ બેટીંગમાં ઉતર્યો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7500 રનનો આંક પાર કર્યો છે.
કોહલીએ 7500 રનની આ ઉપલબ્ધી હાંસલ કરવા માટે 154 ઇનીંગ રમી છે. તેણે કરિયરની 92 મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. 7500 કે તેથી વધુ રન બનાવનાર તે ભારત નો છઠ્ઠો ખેલાડી બન્યો છે. કોહલી ઉપરાંત સુનિલ ગાવાસ્કરે 7500 રન કરવા માટે 154 ઇનીંગ રમી હતી.
કોહલીએ રનના મામલા ઉપરાંત, પણ એક રેકોર્ડ પોતાના નામે હાંસલ કર્યો છે. કોહલી ભારત તરફ થી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં, કેપ્ટનશીપ નિભાવનાર ખેલાડી બની ચુક્યો છે. કોહલીએ ભારત તરફ થી 61 મેચોમાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ નિભાવી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી ચુક્યો હતો. કોહલી ભારતીય કેપ્ટન ઉપરાંત સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર એશિયાઇ ખેલાડી તરીકે નોંધાયો છે.
કોહલીએ, ધોનીને પાછળ રાખી દીધો
મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2008 થી 2014 દરમ્યાન ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો હતો. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 60 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 27 મેચ જીતી હતી. જ્યારે 15 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, તો 18 મેચમાં ભારતીય ટીમે હાર મેળવી હતી. વિરાટ કોહલીના ટેસ્ટ રેકોર્ડને જોવામાં આવે તો, તેની કેપ્ટનશીપમાં ભારતે 36 ટેસ્ટ મેચ જીતી છે. 14 ટેસ્ટ મેચ હારી છે અને 10 મેચ ડ્રો રહી છે. તે 2014 થી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
કોહલીના શતકનો ઇંતઝાર
2019 થી વિરાટ કોહલી ક્રિકેટમાં શતક લગાવી શક્યો નથી. વિરાટ કોહલીના શતકનો સૌ કોઇને ઇંતઝાર છે. જોકે હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં લયમાં જોવા મળી રહ્યો છે. કોહલી બીજા દિવસની રમતના અંતે 44 રને મેદાનમાં હતો. આ દરમ્યાન સૂર્યપ્રકાશની ઝાંખો હોવાને લઇને મેચને ત્રીજા દીવસની રમત સુધી ટાળી દેવામાં આવી હતી. કોહલી પાસેથી ટીમ ઇન્ડીયા સાઉથમ્પટનમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યુ છે.