WTC Final: ઈંગ્લેન્ડમાં આ ભારતીય ક્રિકેટરને નવા સ્વરુપમાં જોવા મળવાને લઈ સુનિલ ગાવાસ્કરે આવકાર્યો
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચ્યાને ત્રીજો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ 18 જૂનથી રમાનારી છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)ની ટીમો આમને સામને થશે.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચ્યાને ત્રીજો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ 18 જૂનથી રમાનારી છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)ની ટીમો આમને સામને થશે.
ફાઈનલ મેચમાં એક મહત્વનું કાર્ય એક ભારતીય ક્રિકેટર સંભાળશે. એટલે કે ફાઈનલ મેચ દરમ્યાન દર્શકોને એક નવો અવાજ કોમેન્ટ્રી દરમ્યાન સાંભળવા મળશે. જે દિનેશ કાર્તિક (Dinesh Karthik)ના સ્વરુપમાં હશે. સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ તેને આવકારતા ગુડ લક કહ્યુ છે.
ક્રિકેટ કોમેન્ટ્રીમાં સુનિલ ગાવાસ્કરની છટાં દર્શકોને ખૂબ પસંદ છે, પરંતુ તેમની સાથે હવે દિનેશ કાર્તિક પણ જોડાશે. 36 વર્ષીય દિનેશ કાર્તિક વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ફાઈનલ મેચથી કોમેન્ટ્રીમાં પોતાનું ડેબ્યૂ કરશે. સુનિલ ગાવાસ્કર સાથે તે કોમેન્ટ્રીમાં જોડાનારો છે. ગાવાસ્કરે શુભેચ્છા પાઠવતા બંનેની એક તસ્વીર શેર કરી હતી.
તેમણે તસ્વીર સાથે લખ્યુ છે કે જ્યારે હું ભારતીય ક્રિકેટ ટીમનો કન્સલટન્ટ હતો, ત્યારે તેણે ડેબ્યૂ કર્યુ હતુ. હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ દ્વારા કોમેન્ટ્રીમાં ડેબ્યૂ કરશે. મને ભરોસો છે કે, તે અહીં પણ કમાલ કરશે. ગુડ લક દિનેશ કાર્તિક. જેના પર વિકેટકીપર બેટ્સમેન કાર્તિકે વળતો જવાબ કર્યો હતો. તેમણે ગાવાસ્કરનો આભાર માન્યો હતો.
View this post on Instagram
કાર્તિક અને ગાવાસ્કર ઉપરાંત ન્યુઝીલેન્ડ તરફથી સાઈમન ડૂલ કોમેન્ટ્રી બોક્સમાં સામેલ હશે. આ ઉપરાંત ઈંગ્લેંડના માઈક આથર્ટન અને નાસિર હુસેન ન્યુટ્રલ કોમેન્ટેટરના રુપમાં સામેલ થશે. જોકે હજુ સુધી એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે કાર્તિક ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન કોમેન્ટ્રી કરશે કે નહીં. જો તે ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટ્રી ટીમનો હિસ્સો રહેશે, શ્રીલંકા પ્રવાસથી દુર રહી શકે છે. એટલે કે ટીમ ઈન્ડીયાના શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં તે સામેલ થઈ શકશે નહીં.
કાર્તિકના શ્રીલંકા પ્રવાસને લઈ અવઢવ
ભારતીય ટીમ (Team India) ઈંગ્લેંડમાં હોવાને લઈને શ્રીલંકા પ્રવાસે મર્યાદીત ફોર્મેટની અન્ય ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડશે. જેને લઈ હવે દિનેશ કાર્તિક શ્રીલંકા પ્રવાસ માટે જશે કે કેમ તે પણ સવાલ થવા લાગ્યા છે. જો કાર્તિક ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટરી આપવા માટે રોકાણ કરશે તો સ્વાભાવિક તે શ્રીલંકા પ્રવાસથી દુર રહી શકે છે. જોકે તેના કોમેન્ટ્રી અંગેના આગળના કાર્યક્રમ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
આ પણ વાંચો: બેટીંગ કોચે કહ્યું Rohit Sharmaનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી