WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી
ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ક્રિકેટમાં ખૂબ જ મેળવ્યુ છે. તેણે નામ અને દામ બંને મેળવી લીધુ છે. જોકે હાલમાં તે દોઢ વર્ષથી શતકને ઝંખી રહ્યો છે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ધરાવે છે. પરંતુ લાંબા સમયથી શતકથી દુર છે.
ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ક્રિકેટમાં ખૂબ જ મેળવ્યુ છે. તેણે નામ અને દામ બંને મેળવી લીધું છે. જોકે હાલમાં તે દોઢ વર્ષથી શતકને ઝંખી રહ્યો છે. આ દરમ્યાન પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ બેટ્સમેન સલમાન બટ્ટ (Salman Butt)ને લાગે છેકે, વિરાટ કોહલી તેની આ તરસ ખૂબ જલ્દી છીપાવી લેશે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ધરાવે છે. પરંતુ લાંબા સમયથી શતકથી દુર છે.
વિરાટ કોહલીએ તેનુ આખરી વન ડે શતક વર્ષ 2019માં ઓગષ્ટમાં ફટકાર્યુ હતુ. તેના ત્રણેક માસ બાદ ટેસ્ટ શતક લગાવ્યું હતું. ત્યારબાદના તો તે ટેસ્ટ ક્રિકેટમાં કે ના વન ડે ક્રિકેટમાં શતક લગાવી શક્યો છે. આમ દોઢ વર્ષથી કોહલી આંતરરાષ્ટ્રીય શતક લગાવી શક્યો નથી. જેને લઇને અનેક વખત ક્રિકેટ જગતમાં ચર્ચાઓ થઇ ચુકી છે.
હવે આ ચર્ચાનો હિસ્સો પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટ પણ જોડાયો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા વિડીયો દ્વારા વિરાટ કોહલીની શતકને લઇને કહ્યું હતું. કોહલી તેના શતકની ઇચ્છા ન્યુઝીલેન્ડ સામે પુરી કરી શકવાની આશા બટ્ટે દર્શાવી છે. તેણે કહ્યુ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ દરમ્યાન તે શતક લગાવી છે.
બટ્ટને આ અંગે પૂછવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ટી-20 વિશ્વકપ જેવા આઇસીસી આયોજનમાં માનસિક અડચણો દુર કરી શકશે ? જેના જવાબમાં બટ્ટે કહ્યુ હતુ કે ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચ દરમ્યાન તે શતકીય પારી રમી શકે છે.
સલમાને કોહલીના વખાણ કરતા કહ્યું હતું કે, તેણે પહેલા થી જ તમામ બેરિયર તોડી દીધા છે. કોણે વિચાર્યુ હતુ કે, આ ઉંમરમાં તેના નામે 70 શતક હશે. તે ફિટ છે અને ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતા તેનો સ્ટ્રાઇક રેટ 90 નો છે. જ્યારે ત્રણેય ફોર્મેટમાં તેની બેટીંગ સરેરાશ 50 થી વધારે છે. કોણે આ વિચાર્યુ હશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 જૂન થી 22 જૂન સુધી સાઉથમ્પટનમાં રમાઇ હતી. 23 જૂનને આ ટુર્નામેન્ટ માટે રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. પ્રવાસ દરમ્યાન છ ટેસ્ટ મેચો ટીમ ઇન્ડીયા પ્રવાસ દરમ્યાન રમશે.