WTC 2021: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને લગાવાશે વેકસીન, જાણો ખેલાડીઓને કોવીશિલ્ડ કે કોવેક્સીન લગાવાશે?
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) અને ઇંગ્લેંડ સામેની 5 મેચોની ટેસ્ટ સિરીઝ માટેની ટીમ ઇન્ડીયા (Team India) નું એલાન કરી દેવામાં આવ્યું છે.
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) અને ઇંગ્લેંડ સામેની 5 મેચોની ટેસ્ટ સિરીઝ માટેની ટીમ ઇન્ડીયા (Team India) નું એલાન કરી દેવામાં આવ્યું છે. આ બંને મિશન માટે ભારતીય ટીમ સિલેક્ટર્સ દ્વારા 24 જેટલા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 4 ખેલાડીઓ સ્ટેન્ડબાય તરીકે રહેશે. આ તમામ ખેલાડીઓ ઇંગ્લેંડ જવા અગાઉ કોરોના વેક્સિન પણ લગવવામાં આવશે. હાલમાં ભારતમાં બે પ્રકારની વેક્સિન છે. જેમાં એક કોવેક્સિન (Covaxin) અને બીજી કોવીશિલ્ડ (Covishield) છે. જો કે ટીમ ઇન્ડીયાને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે, જેની પાછળ પણ ખાસ કારણ છે.
ઇંગ્લેંડ જનારી ટીમ ઇન્ડીયાના રસીકરણ પહેલા ઇંગ્લેંડના ક્વોરન્ટાઇન પ્રોટોકોલને પણ સમજાવી દઇએ. ઇંગ્લેંડ એ ભારતને રેડ લિસ્ટમાં રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓને ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવુ પડશે. જોકે બીસીસીઆઇ એ કોશિષમાં છે કે, સખત ક્વોરન્ટાઇનમાં થોડીક હળવાશ મળે અને તે 14 ના બદેલ 7 દિવસનો ક્વોરન્ટાઇન સમય થઇ શકે. ભારતીય બોર્ડનો તર્ક છે કે, ખેલાડીઓ ભારતમાં બાયોબબલમાં રહી ચુક્યા છે. આવામાં તેમણે ઇંગ્લેંડમાં 7 દિવસનો ક્વારન્ટાઇન સમય મળે.
પ્રથમ 10 દિવસ પ્રેકટીશ પર ભાર ટીમ ઇન્ડીયાની કોશિષ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલમાં ઉતરતા પહેલા 10 દિવસ પ્રેકટીશ કરવી પડશે. આવુ એટલા માટે જરુરી છે કે, જે ટીમ સામે ફાઇનલ મેચ રમવાની છે, તે ટીમ પહેલા થી જ ત્યાં ટેસ્ટ સિરીઝ રમી રહી હશે. ન્ચૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેંડ સામે 2 જૂન થી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમનાર છે. આ પહેલા તે ચાર દિવસની પ્રેકટીશ મેચ પણ રમશે. આ જ કારણે ભારત પણ પોતાના ક્વોરન્ટાઇન સમયને ઓછો કરાવીને વધારેમાં વધારે પ્રેકટીશ પર ભાર મુકવા આતુર છે.
કોવેક્સિન કે કોવીશિલ્ડ ઇંગ્લેંડ જનારા ભારતીય ખેલાડીઓમાં શિખર ધવન કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચુક્યો છે. ઇંગ્લેંડ જતા પહેલા તમામ ભારતીય ખેલાડીઓને કોરોના વેક્સીનનો ડોઝ લેવો જરુરી છે. જાણકારી છે કે, ઇંગ્લેંડ પ્રવાસ પર આવનારા તમામ ખેલાડીઓને કોવિશિલ્ડ ડોઝ લેવા માટે કહેવામાં આવ્યુ છે.
કોવીશિલ્ડ લેવાનુ આ કારણ છે આખરે સવાલ એ પણ થાય કે કોવીશિલ્ડ જ કેમ? એનુ કારણ એ છે કે, પુણે સિરમ ઇન્સ્ટીટ્યુટની બનાવેલી કોવીશિલ્ડ ઇંગ્લેંડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બનાવેલી એસ્ટ્રાજેનેકાનુ જ ભારતીય નામ છે. બીસીસીઆઇના એક અધિકારી એક સ્પોર્ટસ સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, અમારા ખેલાડીઓને ભારતમાં કોવીશિલ્ડ લેવા માટે સલાહ આપવામા આવી છે. કારણ કે તે ઇંગ્લેડની એસ્ટ્રાજેનેકા વાળા ફોર્મ્યુલા બેસ્ડ છે.