Wriddhiman Saha Text Case: દોષી જાહેર થયો પત્રકાર બોરિયા મઝુમદાર, હવે 2 વર્ષ સુધી ન તો સ્ટેડિયમમાં પ્રવેશી શકશે કે ન ઇન્ટરવ્યુ લઈ શકશે
Wriddhiman Saha Text Case: બોરિયા મજુમદારે (Boria Majumdar) BCCI પાસેથી ન્યાયી સુનાવણીની માંગ કરી હતી. BCCI એ આ કેસમાં ત્રણ લોકોની કમિટીની રચના કરી હતી.
Wriddhiman Saha Text Case: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને ધમકાવવાના કેસમાં પત્રકાર બોરિયા મઝુમદાર (Boria Majumdar) ને દોષી ઠેરવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ તેને 2 વર્ષ માટે બ્લેક લિસ્ટમાં રાખ્યો છે. એટલે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મજુમદાર પર ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં 2 વર્ષનો પ્રતિબંધ રહેશે. હવે તે દેશના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં અને ન તો કોઈ ખેલાડીઓનું ઈન્ટરવ્યુ લઈ શકશે.
દેશના અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે BCCI એ રિદ્ધિમાન સાહા અને બોરિયા મજુમદાર વિવાદની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમાં રાજીવ શુક્લા, અરુણ સિંહ ધૂમલ અને પ્રભતેજ સિંહ ભાટિયા સામેલ હતા. આ સમિતિએ હવે તેના તપાસ અહેવાલમાં મજુમદારને દોષિત જાહેર કર્યા છે.
શું છે સમગ્ર મામલો..?
સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ બાદથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટીમ મેનેજમેન્ટે ટીમ ઇન્ડિયામાં રિદ્ધિમાન સાહાને વધુ તક ન આપવાનું મન બનાવી લીધું છે. આ પછી સાહાએ રણજી ટીમમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એક પત્રકાર આ મુદ્દે તેમનો ઈન્ટરવ્યુ લેવા ઈચ્છતો હતો. પત્રકારે તેને મેસેજ પણ કર્યો અને કોલ પણ કર્યો પરંતુ સાહાએ તેનો જવાબ ન આપ્યો. આ પછી પત્રકારે સાહાને વોટ્સએપ પર જ ધમકી આપી હતી.
પત્રકારે શું ધમકી આપી..?
જ્યારે સાહા તરફથી કોઈ જવાબ ન આવ્યો તો પત્રકારે તેને મેસેજ કર્યો અને લખ્યું, ‘તમે ફોન કર્યો નથી. હું ફરી ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં લઈશ. હું આવું અપમાન સહન કરી શકતો નથી અને હું તને યાદ રાખીશ. તમારે આવું કરવું ન જોઇએ.’
રિદ્ધિમાન સહાએ તેના પર શું કહ્યું હતું
આ ધમકીનો સ્ક્રીનશોટ શેર કરતા રિદ્ધિમાને લખ્યું, ‘ભારતીય ક્રિકેટમાં મારા આટલા યોગદાન પછી હવે હું એક કહેવાતા પત્રકાર તરફથી આ બાબતોનો સામનો કરી રહ્યો છું. પત્રકારત્વ હવે આ દિશામાં જઈ રહ્યું છે. રિદ્ધિમાનના આ ટ્વીટ બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો અને ઘણા પૂર્વ ખેલાડીઓએ ધમકી આપનાર પત્રકારનું નામ સાર્વજનિક કર્યું હતું અને BCCI પાસે તેના પર કાર્યવાહી કરવાની માગ કરી હતી.
રિદ્ધિમાન સહાએ BCCI કમિટીને આ પત્રકારનું નામ જણાવ્યું હતું
રિદ્ધિમાન સહાને મળેલી આ ધમકીના મામલે BCCI એ 3 સભ્યોની કમિટી બનાવી હતી. જેની તપાસ દરમિયાન રિદ્ધિમાન સહાએ ધમકી આપનાર પત્રકારનું નામ કમિટીને જણાવ્યું હતું. થોડા દિવસો પછી મજુમદાર પોતે બહાર આવ્યા અને આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો. બોરિયા મજમુદારે કહ્યું હતું કે, ‘એક વાર્તાની હંમેશા 2 બાજુ હોય છે. રિદ્ધિમાન સાહાએ મેં તેની સાથે કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરી હતી. તેનાથી મારી ઈમેજ અને વિશ્વસનીયતાને ઘણું નુકસાન થયું છે. મેં BCCI પાસેથી ન્યાયી સુનાવણીની માગ કરી છે. મારા વકીલ રિદ્ધિમાન સાહા સામે માનહાનિનો દાવો કરી રહ્યા છે. સત્ય બહાર આવવા દો.
આ પણ વાંચો : IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું