CSK vs RCB, IPL 2021: આજે શારજાહમાં જામશે જંગ, ધોની અને વિરાટ કોહલીની ટીમ ચેન્નાઇ અને બેંગ્લોર થશે આમને સામને

Today Match Prediction of Chennai Super Kings vs Royal Challengers Banglore: શારજાહનું નાનકડું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચેની મોટી ટક્કરનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.

CSK vs RCB, IPL 2021: આજે શારજાહમાં જામશે જંગ, ધોની અને વિરાટ કોહલીની ટીમ ચેન્નાઇ અને બેંગ્લોર થશે આમને સામને
Ms Dhoni-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:02 PM

90 નો યુગ, શારજાહ મેદાન અને ભારત-પાકિસ્તાન (India vs Pakistan). તમે આ ત્રણેયના કોમ્બિનેશને આગ લગાડતી ઘણા કિસ્સા અને કહાનીઓ સાંભળી અને જોઈ હશે. પરંતુ આજે ફરી કંઈક આવું જ જોવા મળશે. શારજાહ (Sharjah) ની પીચ પર આજે ફરી આગ લાગશે. રન ખૂબ વરસસે . બોલરો વિકેટને માટે તરસતા રહેશે અને બેટ્સમેનો આનંદ લૂંટતા રહેશે. શારજાહનું નાનું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચે મોટી ટક્કરનુ સાક્ષી થવા જઈ રહ્યું છે. IPL 2021 ની 35 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) સામે છે. બંનેમાંથી કોઇ કમ નથી એટલે જ આજની મેચ દમદાર રહેશે.

IPL 2021 ની પિચ પર બંને ટીમોની આ બીજી ટક્કર હશે. અગાઉ, બંને ટીમો ભારતીય ભૂમિ પર ટકરાઈ હતી. જેમાં બાજી પીળી જર્સી એટલે કે ધોનીની સુપર કિંગ્સના નામે રહી હતી. હવે શારજાહમાં, વિરાટના ચેલેન્જર્સને ખાતું બરાબર કરવાની તક મળશે. આજની મેચ જીતવી RCB માટે માત્ર CSK સાથે બરાબરી કરવા માટે જ નહીં. પણ પ્લેઓફની રેસમાં રહેવા માટે પણ જરૂરી છે.

આનું કારણ એ છે કે, RCB, જે IPL 2021 ના ​​પહેલા હાફને પોઈન્ટ ટેલીમાં ત્રીજા નંબરે સમાપ્ત કરી હતી. કોહલીની ટીમ બીજા હાફની પ્રથમ મેચ KKR સામે ખરાબ રીતે હારી ગઈ હતી. હવે જો તેઓ બીજી મેચ હારે, તો બેંગ્લોર મુશ્કેલીમાં મુકાશે. બીજી બાજુ, ચેન્નાઇની ટીમે તેનુ સિઝનના પહેલા હાફ બાદ બીજા હાફમાં પણ તેનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું છે. તેમના માટે, આજે જીતનો અર્થ પ્લે-ઓફમાં ટિકિટ પાકી કરી લેવા માટેનો હશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

વિરાટ બેટથી વરસવા માટે તૈયાર-માઇક હેસન

KKR સામે છેલ્લી મેચમાં RCB ની હારનું સૌથી મોટું કારણ તેમની બેટિંગ હતી. આખી ટીમ 100 રનનો આંકડો પણ બનાવી શકી નહોતી. પરંતુ, ટીમના કોચ માઈક હેસને ચેન્નઈ સામેની મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેણે વિરાટની બેટિંગ વિશે કહ્યું છે કે, તે રન બનાવવા માટે આતુર છે. હવે કેપ્ટન તરીકે RCB માટે પોતાની છેલ્લી આઈપીએલ સીઝન રમી રહેલા કોહલી કેટલી હદે પોતાની નિરાશા દૂર કરી શકે છે કે કેમ, તે તો મેચમાં જ ખબર પડશે. શારજાહનું આટલું નાનું મેદાન જોઈને કોઈ ચોક્કસપણે લલચાય શકે છે.

CSK vs RCB રિપોર્ટ કાર્ડ

જો આપણે બંને ટીમો વચ્ચેના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો CSK નો ઉપરનો હાથ જોવા મળે છે. CSK એ અત્યાર સુધી 27 મેચમાં 17 જીત મેળવી છે. આ સાથે જ 9 મેચ RCB ના નામે કરવામાં આવી છે. જોકે, છેલ્લી 5 મેચમાં RCB CSK સામે 2 મેચ જીતવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આજે વિરાટ અને ધોનીમાં શારજાહનો સમ્રાટ કોણ બને છે.

આ પણ વાંચોઃ T20 World Cup: 24 વર્ષ બાદ 24 તારીખે ભારતને વિશ્વકપ જીતાડ્યો હતો, તેના કેટલાક ‘હિરો’ ચમક દમકની દુનિયાથી દૂર થઇ ચાલ્યા ગયા છે

આ પણ વાંચોઃ IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">