વિરેન્દ્ર સહેવાગ બાદ ક્રિકેટમાં હવે પુત્ર મચાવશે ધમાલ, દિલ્લીની ટીમમાં કરાઈ પસંદગી

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનુ આયોજન કર્યુ છે. જેમાં દિલ્લીની ટીમમાં વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હિસ્સો લઇ રહ્યો છે. આમ પ્રોફેશનલ ક્રિકેટમાં હવે મેદાને સેહવાગ પુત્ર ઉતર્યો છે. 

વિરેન્દ્ર સહેવાગ બાદ ક્રિકેટમાં હવે પુત્ર મચાવશે ધમાલ, દિલ્લીની ટીમમાં કરાઈ પસંદગી
Virender Sehwag નો પુત્ર મચાવશે ધમાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 10:13 AM

વિરેન્દ્ર સહેવાગ, આ નામ આજે પણ ક્રિકેટ વિશ્વમાં ધમાકેદાર બેટિંગ માટે થઈને યાદ કરવામાં આવે છે. તેની બેટિંગના સૌ કોઈ દિવાના હતા. હરીફ ટીમોને તે ક્રિઝ પર હોય એટલે સતત ટેંશન રહેતુ હતુ અને તેને વિરુ બનાવી રાખવા માટે પણ સતત પ્રયાસ કરતો હતો. રેડ બોલ ક્રિકેટ હોય કે પછી વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટ પણ વિરેન્દ્ર સહેવાગની રમત એક અંદાજથી શરુ થતી હતી અને એ જ અંદાજથી અંત સુધી જોવા મળતી હતી એ તેની ખાસીયત રહી હતી. જોકે હવે તેની રમતના દિવાનાઓ માટે નવા સમાચાર આવ્યા છે. હવે જૂનિયર સહેવાગ ક્રિકેટ રમતો જોવા મળશે અને એ પણ બીસીસીઆઈ દ્વારા આયોજીત ટૂર્નામેન્ટમાં.

સમાચાર સાંભળીને થોડી નવાઈ જરુર લાગી હશે. પરંતુ વાત બીલકુલ સાચી છે. વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હવે પ્રોફેશનલ ક્રિકેટ રમતો જોવા મળનારો છે. એ પણ બીસીસીઆઈની ટૂર્નામેન્ટમાં જ. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનુ આયોજન કર્યુ છે. જેમાં દિલ્લીની ટીમમાં વિરેન્દ્ર સહેવાગનો પુત્ર હિસ્સો લઇ રહ્યો છે. દિલ્લીની ટીમમાં વિરુના 15 વર્ષિય પુત્ર આર્યવીરને સ્થાન આપવામાં આવ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિરુની ઝલક જોવા મળશે!

સૌથી મહત્વની વાત એ છે કે, વિરુની ઝલક આર્યવિરના બેટિંગ અંદાજમાં જોવા મળશે કે નહીં. જોકે એ તો એની રમત જોયા બાદ ચાહકોને અંદાજ આવશે. આ સાથે જ હવે આર્યવીરને મોટી ટૂર્નામેન્ટમાં પ્રવેશ મળી ગયો છે. હાલમાં દિલ્લીની ટીમ બિહારની ક્રિકેટ ટીમ સામે રમી રહી છે. જોકે વિરુ પુત્રને આ મેચામં અંતિમ 11 માં સ્થાન મળી શક્યુ નથી. હજુ ટૂર્નામેન્ટમાં પ્રવેશ જ મળ્યો છે, એટલે સ્વાભાવિક છે કે આર્યવીરને પણ રમત બતાવવાનો પણ મોકો આગળ આગળ મળતો રહેશે.

વિડીયોમાં પિતાના અંદાજમાં જોવા મળ્યો

વિરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યા છે. જે પૈકીના વિડીયોમાં તે પોતાના પિતાના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે. અનેક વિડીયો શેર કર્યા છે, જેમાંથી કેટલાક વિડીયોમાં નેટ્સમાં તે વિરેન્દ્ર સહેવાગની માફક જ સ્ટાંસ લેતો નજર આવી રહ્યો છે. આમ હવે ક્રિઝ પર મોકો મળતા કેવુ પ્રદર્શન દર્શાવે છે એ જોવાનુ મહત્વનુ છે.

ભારતીય ટીમના મહત્વના ખેલાડી રહી ચુકેલા વિરેન્દ્ર સહેવાગે ભારત માટે 104 ટેસ્ટ મેચ અને 251 વન ડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 50 ની સરેરાશથી 8586 રન નોંધાવ્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં 8273 રન વિરુએ 35 ની સરેરાશથી નોંધાવ્યા હતા.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">