IPL 2022: વિરાટ કોહલીને RCB એ રિટેન કરતા આવી રહી છે અલગ ફીલીંગ્સ, નવા ‘અવતાર’ માં ઉતરવાને લઇ કહ્યુ આમ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પણ તેને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. RCB એ વિરાટ સિવાય (Virat Kohli) મેક્સવેલ અને સિરાજ નામના બે વધુ ખેલાડીઓને પણ રિટેન કર્યા છે.

IPL 2022: વિરાટ કોહલીને RCB એ રિટેન કરતા આવી રહી છે અલગ ફીલીંગ્સ, નવા 'અવતાર' માં ઉતરવાને લઇ કહ્યુ આમ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 9:54 AM

IPL 2021 સુધી વિરાટ કોહલી (Virat Kohli) RCB નો કેપ્ટન હતો. પરંતુ IPL ની આગામી સિઝન એટલે કે IPL 2022માં તે આ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડી તરીકે રમશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) પણ તેને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. વિરાટ સિવાય RCBએ મેક્સવેલ અને સિરાજ નામના બે વધુ ખેલાડીઓને પણ રિટેન કર્યા છે. પોતાની જૂની ફ્રેન્ચાઈઝીમાં જાળવી રાખ્યા બાદ વિરાટ કોહલીએ હવે મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન અનુસાર, તેણે IPL 2022માં અલગ અવતારમાં દેખાવાનું બ્યુગલ ફૂંક્યું છે.

વિરાટ કોહલીએ કહ્યું કે મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. અને, મને આમાં પૂરો વિશ્વાસ છે. તેણે કહ્યું, “હું ખુશ છું કે RCB સાથે મારી સફર ચાલુ રહેશે. હવે હું આ ફ્રેન્ચાઈઝી માટે આગામી 3 વર્ષ રમીશ. મને ખાતરી છે કે મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. એક ખેલાડી તરીકે નવી સીઝન વિશે મને પહેલેથી જ સારી ફિલીંગ્સ થઇ રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પ્રશંસકોને ખુશ રાખવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ-વિરાટ કોહલી

RCBના ભૂતપૂર્વ કેપ્ટન કોહલીએ વધુમાં કહ્યું, અમારી ટીમનો ચાહક વર્ગ અદ્ભુત છે. આશા છે કે હું મારા પરફોર્મન્સથી બધાને ખુશ રાખી શકીશ. RCBના પ્રશંસકો માટે મારા મનમાં ઘણું સન્માન છે. અને, જ્યાં પણ મારું હૃદય અને મારો આત્મા છે, હું હંમેશા ત્યાં રહીશ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. વિરાટ કોહલીએ IPLની 14માંથી 9 સીઝનમાં RCBની કેપ્ટનશિપ સંભાળી હતી. આ દરમિયાન તેણે 140 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.

વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દી

વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 207 મેચો રમાઈ છે. આ દરમિયાન તેણે 37.39ની એવરેજ અને 130ની આસપાસ સ્ટ્રાઈક રેટથી 6283 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 5 સદી અને 42 અડધી સદી ફટકારી છે. આટલો લાંબો અને વિશાળ કારકિર્દી ગ્રાફ હોવા છતાં, વિરાટ કોહલી અત્યાર સુધી IPL ટાઇટલ જીતવાથી દૂર રહ્યો છે. તેની જેમ RCB અત્યાર સુધી IPL ચેમ્પિયન નથી બની શક્યું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિરાટ પોતાની કેપ્ટનશીપમાં RCB માટે જે કામ નથી કરી શક્યો તે હવે તે એક ખેલાડી તરીકે કરતો જોવા મળશે.

આ પણ વાંચોઃ IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

આ પણ વાંચોઃ CSK IPL 2022 Retained Players: રવિન્દ્ર જાડેજા પર ધોની કરતા પણ વધુ પૈસા વરસ્યા, રૈના, ચાહર અને શાર્દૂલ ઠાકુર ‘પિળી જર્સી’ થી બહાર

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">