30 હજાર રૂપિયાના પેન્શનથી ચલાવે છે ઘર, હવે બનશે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર?

ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ને ટૂંક સમયમાં નવા સિલેક્ટર મળવા જઈ રહ્યા છે, અહેવાલો અનુસાર મનિન્દર સિંહ, વિનોદ કાંબલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ આ પદ માટે અરજી કરી છે.

30 હજાર રૂપિયાના પેન્શનથી ચલાવે છે ઘર, હવે બનશે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર?
ટીમ ઈન્ડિયાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 1:55 PM

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાના સેમીફાઈનલમાંથી બહાર થયા બાદ BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી અને હવે તેને નવેસરથી બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર ​​મનિન્દર સિંહ, ભૂતપૂર્વ ઓપનર શિવ સુંદર દાસ, સલિલ અંકોલા, સમીર દિખે જેવા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે નવી પસંદગી સમિતિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવારે સાંજે 6 વાગ્યા સુધી હતી. અહેવાલો અનુસાર, 50 થી વધુ લોકોએ અરજી કરી છે. આ તમામ દિગ્ગજોમાં વિનોદ કાંબલીનું નામ પણ સામેલ છે.

વિનોદ કાંબલી ભારતીય ટીમના સિલેકટર બનવા ઈચ્છુક છે. હાલમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે, બીસીસીઆઈ તરફથી મળી રહેલા પેન્શનથી તેનું ઘર ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ તરફથી કાંબલીને 30 હજાર રુપિયાનું પેન્શન મળે છે. વિનોદ કાંબલીએ મિડ ડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાલમાં તે બેરોજગાર છે અને તેનો પરિવાર પેન્શનથી ભેટ ભરે છે.

સચિને આપ્યું હતુ કાંબલીને કામ

તમને જણાવી દઈએ કે, જીગરી મિત્ર અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે તેને કામ આપ્યું હતુ. તેમને સચિને Tendulkar Middlesex Global Academyમાં મેન્ટર બનાવ્યો હતો પરંતુ કાબલીએ આ નોકરી છોડી દીધી હતી. કાંબલીએ જણાવ્યું કે, તે રોજ સવારે 5 કલાકે ઉઠી ડીવાઈ પાટિલ સ્ટેડિયમ માટે કેબ પકડતો હતો. તે સમયે તે બીકેસી ગ્રાઉન્ડમાં રાત્રે કોચિંગ આપતો હતો અને આ તેના માટે થકાવનારું શેડ્યુલ હતુ. જેના માટે કાંબલીએ નોકરી છોડી હતી. હવે વિનોદ કાબંલી ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બનવા માંગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિનોદ કાંબલી પાસે જબરદસ્ત અનુભવ છે

ડાબા હાથના આ બેટ્સમેનને 17 ટેસ્ટનો અનુભવ છે. જેમાં કાંબલીએ 54.2ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા. આ દરમિયાન કાંબલીએ 4 સદી ફટકારી હતી જેમાંથી બે બેવડી સદી હતી. કાંબલીએ ભારત માટે 104 વનડે પણ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 32.59ની એવરેજથી 2477 રન નીકળ્યા. કાંબલીએ વનડેમાં 2 અને 14 અડધી સદી ફટકારી હતી.

અજીત અગરકર બની શકે છે ચીફ સિલેક્ટર !

પીટીઆઈના અહેવાલ મુજબ આ પુષ્ટિ થઈ નથી કે, અજીત અગરકરે સિલેક્ટર બનવા માટે આવેદન આપ્યું છે. રિપોર્ટ મુજબ જો અગરકર આવેદન કરે છે તો તેનું ચીફ સિલેક્ટર બનવું નક્કી છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">