Cricket: બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીએ આ ઈંગ્લીશ બેટ્સમેનને પરેશાન કર્યો, કહ્યું તેમની સામે બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ

ત્રણ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પરત ફરેલા ડેવિડ મલાને કહ્યું કે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો એકબીજાથી અલગ છે અને જ્યારે તેઓ એકસાથે બોલિંગ કરે છે, ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

Cricket: બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીએ આ ઈંગ્લીશ બેટ્સમેનને પરેશાન કર્યો, કહ્યું તેમની સામે બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ
Dawid Malan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:06 PM

ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન ડેવિડ મલાન (Dawid Malan) માને છે કે ભારતીય બોલરો એકબીજાથી એટલા અલગ છે કે કોઈ પણ બેટ્સમેન તેમને રમવાને અભ્યસ્ત નહીં હોઈ શકે. ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં યોજાયેલી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો (Indian Fast bowlers)એ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેમ્પમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ પાંચમી મેચ રદ કરવામાં આવી, ત્યારે ભારત 2-1થી આગળ હતું.

ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફરેલા મલાને કહ્યું કે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો એકબીજાથી અલગ છે. જ્યારે તેઓ એકસાથે બોલિંગ કરે છે, ત્યારે બેટ્સમેનો માટે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તેણે કહ્યું ‘આ બધું ખૂબ જ મુશ્કેલ છે. ભારતીય આક્રમણ વિશે એક વાત એ છે કે તે બધા એકબીજાથી અલગ છે. તેમની સામે રમવું ક્યારેય આદત ન બની શકે. એક ને રમવાની ટેવ પડી જાય છે અને બીજો નવો પડકાર રજૂ કરે છે. દરેક વ્યક્તિએ શ્રેણીમાં શાનદાર કામ કર્યું.

મલાને ખુશી વ્યક્ત કરી કે રવિચંદ્રન અશ્વિનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. એટલા માટે નહીં કે તે એક મહાન બોલર નથી, તે એક ગંભીર બોલર છે. તે શ્રેષ્ઠ સ્પિનરોમાંનો એક છે. તે ટીમમાં કેમ ન હતો તેના પર ટિપ્પણી કરવી મારા માટે મુશ્કેલ હશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ, કેપ્ટને રવિન્દ્ર જાડેજા અને અશ્વિનમાંથી જાડેજાની પસંદગી કરી હતી. તેઓ શ્રેણીમાં આગળ હતા, જેથી નિર્ણય પર ચર્ચા ન થઈ શકે. મને આનંદ છે કે અશ્વિન રમ્યો નથી.

ટેસ્ટમાં વાપસી કરીને ખુશ પરંતુ બેટિંગથી નિરાશ

ટેસ્ટ ટીમમાં તેની વાપસી વિશે વાત કરતા મલાને કહ્યું કે તે તેના પ્રદર્શનથી સંપૂર્ણપણે ખુશ નથી. તેણે કહ્યું તમે જાણો છો કે પ્રથમ ટેસ્ટમાં સ્કોર કરવો સારો હતો. નિરાશ છું કે હું તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને સદી ફટકારી શક્યો.

તે બેટિંગ કરવા માટે ખૂબ સારી વિકેટ હતી, તેથી જે રીતે હું આઉટ થયો તે નિરાશાજનક હતું અને પછી ઓવલમાં પ્રથમ દાવની વાત કરીએ તો સારી વિકેટ પર 30 રન સુધી પહોંચ્યા પછી પણ આઉટ થવું ખૂબ જ મુશ્કેલ હતું. હું આનાથી ખૂબ નિરાશ થયો. ડેવિડ મલાને તાજેતરમાં જ IPL 2021માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે, તેમણે આ નિર્ણય શા માટે લીધો તેનો ખુલાસો કર્યો નથી.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની બાદ રવિન્દ્ર જાડેજાએ ફેન્સ સમક્ષ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનવાની ઇચ્છા દર્શાવી ! જાડેજાની ઇચ્છાએ જગાવી ખૂબ ચર્ચા

આ પણ વાંચોઃ IPL 2021: ફાઇનલમાં આ બે ટીમો ટકરાશે! પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ વિરાટ કોહલી થી લઇને ધોની અને રોહિત શર્માને લઇ કરી મોટી આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">