T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા માટે ICC ટૂર્નામેન્ટોમાં કાળ બની રહી છે ન્યુઝીલેન્ડની ટીમ, ત્રણ દાયકા થી કરી રહી છે પરેશાન
આ વર્ષે જુલાઈમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઈનલ (WTC Final) માં કિવી ટીમના હાથે હાર બાદ ભારતે ફરી એકવાર આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઘૂંટણ ટેકવવા પડ્યા હતા.
કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ICC T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની તસવીર સામે આવી રહી છે. વિશ્વ ક્રિકેટના કેટલાક મોટા ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમ (Team India), જે 10 દિવસ પહેલા સુધી ખિતાબની સૌથી મોટી દાવેદાર હતી, તે હવે મેચ જીતવા માટે પણ તલપાપડ હતુ. સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા ઠગારી નીવડી છે. પાકિસ્તાન સામેની હાર પહેલા જ મોટો ફટકો મારી ચૂકી છે, પરંતુ ન્યૂઝીલેન્ડે (New Zealand) તે ઘા વધુ ઝીંક્યો છે.
એ જ ટીમ, જેની સામે ભારત હંમેશા આવે છે અને દરેક તબક્કે વિખેરાઈ જાય છે. જે છેલ્લા ઘણા વર્ષોથી ભારતના માર્ગમાં કાંટા બિછાવે છે. ફરી એકવાર એ જ કીવી ટીમે ભારતીય આકાંક્ષાઓનો નાશ કર્યો અને આ પ્રક્રિયા છેલ્લા 29 વર્ષથી સતત ચાલી રહી છે.
રવિવારે 31 ઓક્ટોબરે ભારતીય ટીમનો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મુકાબલો થયો હતો. બંને ટીમો તેમની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી હતી અને માત્ર બીજી મેચ રમી રહી હતી. બંનેને જીતની જરૂર હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના વર્ચસ્વને જોતા ટીમ ઈન્ડિયાનો રસ્તો મુશ્કેલ જણાતો હતો. આખરે તેણે પોતાને મેદાનમાં સાબિત કરી દીધુ. આ વર્ષે સતત બીજી વખત ન્યૂઝીલેન્ડે ICC ટૂર્નામેન્ટમાં ભારતને હરાવ્યું હતું. માત્ર 110 રન બનાવનારી ભારતીય ટીમ 8 વિકેટથી હારી ગઈ હતી, જેના કારણે ભારતીય ટીમને સેમીફાઈનલની આશાને ફટકો પડ્યો હતો.
29 વર્ષમાં 10મી હાર
આ પહેલીવાર નથી કે જ્યારે ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ ભારત માટે આફત સાબિત થયું હોય. પરંતુ છેલ્લા 29 વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 1992ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ પ્રથમ વખત ટકરાયા હતા અને કીવી ટીમે તે મેચ જીતી હતી. ત્યારથી ન્યુઝીલેન્ડનો દબદબો યથાવત છે. 2003ના વર્લ્ડકપને બાદ કરતાં ભારતે દરેક વખતે પછડાટ ખાધી છે.
1992 થી 2021 સુધી, બંને ટીમો ICC ટૂર્નામેન્ટમાં 9 વખત ટકરાયા છે, જેમાં ન્યૂઝીલેન્ડ 8 વખત જીત્યું છે. આમાં પણ જો આપણે 2020માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી 2 મેચની સિરીઝને જોડીએ તો ટીમ ઈન્ડિયા 11 મેચમાં 10 વખત હારી ગઈ છે.
ટીમ ઈન્ડિયાની આશા ખતમ?
આ હાર બાદ ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજમાં હજુ એક પણ પોઈન્ટ નથી અને ટીમ પાંચમા સ્થાને છે. અફઘાનિસ્તાનની બીજી જીત અને ન્યુઝીલેન્ડનું ખાતું ખોલવાની સાથે જ ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે જો ટીમ ઈન્ડિયાને આગલા રાઉન્ડમાં પહોંચવું હોય તો તેણે અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે. તે જ સમયે, બાકીની ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.