Big News : ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચેતન શર્માની આગેવાનીમાં સિલેકશન પંચે ભારતીય ટીમની જાહેરાત કરી.
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટાઈટલ જીતની પ્રબળ દાવેદાર ગણાતી આ ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ હારીને બહાર થઈ ગઈ હતી. જો કે, હવે તે કડવી યાદોને ભૂલી જવાનો અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચેતન શર્માની આગેવાનીમાં સિલેકશન પંચે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને આ ટીમમાં કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.
3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર અવેશ ખાન અને હર્ષલ પટેલની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આ ત્રણેય ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય T20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર , દીપક ચાહર , હર્ષલ પટેલ , મોહમ્મદ સિરાજ.
8 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો
ટી20 વર્લ્ડ કપ 2021માં રમવા ગયેલા 8 ખેલાડીઓને ન્યુઝીલેન્ડ ટી20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. આ સિવાય શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તીને પણ ટી-20 ટીમમાં સ્થાન મળ્યું નથી.
T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાના 3 દિવસ બાદ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી શરૂ થઈ રહી છે. 17 નવેમ્બરથી જયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ શરૂ થશે. આ પછી બીજી T20 મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે.જ્યારે ત્રીજી T20 મેચ 21 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ટી20 સીરીઝ બાદ ન્યુઝીલેન્ડે ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચોની સીરીઝ પણ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બર અને બીજી ટેસ્ટ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાશે.
આ પણ વાંચો: T20 World Cup: આ બોલરોએ બેટ્સમેનોની ધમાલ વચ્ચે કમાયુ નામ, વિકેટોની લગાવી દીધી લાઇન, જાણો કોણ છે આગળ
આ પણ વાંચો: IPL 2022 ધોની જેવા વિકેટ કીપર બેટ્સમેનને આવતા વર્ષે CSKમાં સામેલ કરવામાં આવશે, જાણો કોણ છે આ ખેલાડી