IND vs NZ, T20 World Cup, LIVE Streaming: આજે ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકશો મેચ

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs NZ, T20 World Cup, LIVE Streaming: આજે ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકશો મેચ
India vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 10:08 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ (Team India) પ્રથમ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે. બીજી તરફ ન્યુઝીલેન્ડની પણ આવી જ હાલત છે. તેને પણ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં પણ તેને પ્રથમ વિજયની રાહ જોવાઈ રહી છે.

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ દસ વિકેટે અને કેન વિલિયમસનની ટીમ પાંચ વિકેટે હારી ગઈ હતી. પ્રેક્ટિસ સેશન બાદ સાઉથીએ કહ્યું, ‘ભારતીય ટીમ શાનદાર છે અને ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહી છે. હાર બાદ તેઓ પણ જીતવા આતુર હશે. બંને ટીમો વચ્ચે આ એક રસપ્રદ મુકાબલો હશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટ દરમિયાન ન્યુઝીલેન્ડ પ્રથમ વખત રમશે, જ્યારે આ મેદાન પર પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો.

પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી

પાકિસ્તાન સામેના ખરાબ પ્રદર્શને ટીમની રચના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પરંતુ એ સમજી શકાય છે કે ન્યૂઝીલેન્ડ સામેની ટીમના કોમ્બિનેશનમાં ધોનીનો અભિપ્રાય ઘણો મહત્વનો રહેશે. મતલબ કે હાર્દિક પંડ્યાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા નથી. પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે કારણ કે તે એ પણ જાણે છે કે તેના વિના હવે તેને ચાલવાનું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ક્યારે સામસામે ટકરાશે?

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 31 ઓક્ટોબર (રવિવાર)ના રોજ સામસામે ટકરાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

તમે ભારત વિ ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું ભારત વિ ન્યુઝીલેન્ડ લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ ઉપરાંત tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ  IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

આ પણ વાંચોઃ  IND vs NZ, T20 World Cup 2021: ન્યુઝીલેન્ડ સામે આજે આરપારની લડાઇ, ટીમ ઇન્ડીયાએ ICCમાં કિવી સામેનો ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">