T20 World Cup: અશ્વિનને વિશ્વકપ ટીમમાં સામેલ કરીને પસંદગીકારોએ સૌને ચોંકાવી દીધા! દિગ્ગજ સ્પિનરને વિશ્વકપ જીતવા 4 વર્ષે ટીમમાં સ્થાન મળ્યુ

34 વર્ષીય રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને મર્યાદિત ઓવરોમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રિય T20 મેચ 9 જૂલાઇ 2017 માં રમી હતી. જે T20 આંતરરાષ્ટ્રીય મેચ તેણે વેસ્ટઇન્ડીઝ સામે કિંગ્સટનમાં રમી હતી.

T20 World Cup: અશ્વિનને વિશ્વકપ ટીમમાં સામેલ કરીને પસંદગીકારોએ સૌને ચોંકાવી દીધા! દિગ્ગજ સ્પિનરને વિશ્વકપ જીતવા 4 વર્ષે ટીમમાં સ્થાન મળ્યુ
Ravichandran Ashwin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:46 AM

ભારતે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે 15 સભ્યોની ટીમમાં પાંચ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેનું નેતૃત્વ અનુભવી રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) કરશે, જે ચાર વર્ષ પછી T20 ટીમમાં પરત ફરશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી મર્યાદિત ઓવરની મેચોમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવનાર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. પરંતુ 34 વર્ષીય અશ્વિને 9 જુલાઈ 2017 ના રોજ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મર્યાદિત ઓવરોની મેચ રમી હતી.

જે T20 આંતરરાષ્ટ્રીય મેચ તે કિંગ્સ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પછી એવું કહેવામાં આવ્યું કે અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ તે કથિત આરામ હવે સમાપ્ત થઈ ગયો છે. યુએઈની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે અને તેથી જ અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે ભારતીય ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર ​​છે.

અશ્વિન ભલે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હોય પરંતુ આઈપીએલ માં તેની રમત સારી હતી. જ્યારે તે પંજાબ કિંગ્સ (Punjab Kigs) નો કેપ્ટન હતો ત્યારે પણ તે સારી રીતે રમ્યો હતો. અત્યારે તે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સાથે છે અને તેણે અહીં પણ સારું પ્રદર્શન કર્યું છે. અશ્વિને અત્યાર સુધીમાં 46 T20 મેચ રમી છે અને 52 વિકેટ લીધી છે. આ દરમિયાન આઠ રનમાં ચાર વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આંતરરાષ્ટ્રીય T20 મેચમાં, તેની ઇકોનોમી 6.97 અને સ્ટ્રાઇક રેટ 19.70 છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ ટીમ વિશે કહ્યું, અશ્વિન અમારા માટે મહત્વનો ખેલાડી છે. તેણે IPL માં સારું પ્રદર્શન કર્યું છે અને અમને અનુભવી ખેલાડીઓની જરૂર છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાથી અમને ઓફ સ્પિનરની જરૂર છે. અશ્વિન ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર ​​છે. વરુણ એક મિસ્ટ્રી સ્પિનર ​​છે જે બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરી શકે છે.

17 ઓક્ટોબર થી શરુ થશે T20 વિશ્વકપ

શર્માએ એમ પણ કહ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે અને તેના ક્વોટાની તમામ ઓવર કરશે. અમે ચહલ કરતાં રાહુલ ચાહરને પસંદ કર્યો છે કારણ કે અમે ઇચ્છતા હતા કે જે ઝડપી બોલિંગ કરી શકે અને ઝડપથી પીચ પરથી ઉતરી શકે. અક્ષર પટેલને રવિન્દ્ર જાડેજા માટે બેકઅપ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઈ અને ઓમાનમાં રમાશે.

આ પણ વાંચોઃ India’s T20 World Cup Squad: આ 15 ખેલાડીઓ ટીમ ઇન્ડીયાનો વિજય ધ્વજ લહેરાવવા મેદાને ઉતરશે, જુઓ તસ્વીરો સાથે ખેલાડીઓની કુંડળી

આ પણ વાંચોઃ T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">