Rohit Sharma એ કર્યો ખુલાસો, ભારત ટી20 ક્રિકેટમાં કેમ જુદા-જુદા ઓપનરો અજમાવી રહ્યું છે

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. જ્યાં તેઓ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓપનરો સાથે પ્રયોગ કરી રહી છે.

Rohit Sharma એ કર્યો ખુલાસો, ભારત ટી20 ક્રિકેટમાં કેમ જુદા-જુદા ઓપનરો અજમાવી રહ્યું છે
Rohit Sharma T20 Cricket (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 2:32 PM

ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ છેલ્લા એક વર્ષમાં T20I ક્રિકેટ (T20 Cricket) માં ઘણા અલગ-અલગ ઓપનિંગ કોમ્બિનેશન અજમાવવા પાછળનું કારણ જાહેર કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. જ્યાં તેઓ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓપનરો સાથે પ્રયોગ કરી રહી છે.

ભારતના પ્રયોગે ઘણા ભૂતપૂર્વ દિગ્ગજોને નારાજ કર્યા હોવા છતાં ટીમ ખાસ કરીને કે એલ રાહુલ (KL Rahul) ની ગેરહાજરીમાં વિવિધ ઓપનિંગ સંયોજનો અજમાવી રહી છે. તમને જણાવી દઇએ કે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે.

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા (Team India) એ તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંત (Rishabh Pant) ને ઓપનર તરીકે મેદાન પર ઉતાર્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) સાથે ટીમની ઈનિંગની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે T20I મેચમાં ઓપનિંગ કરી છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

અમે અમારા ખેલાડીઓને બેટિંગ ક્રમને લઇને નિશ્ચીત બનાવવા માંગીએ છીએઃ રોહિત શર્મા

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારત 2જી T20I મેચ પહેલા કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે અમારો બેટ્સમેન કોઈપણ સ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ બને તેથી અમે વિવિધ ઓપનિંગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. અમે નથી ઈચ્છતા કે અમારા બેટ્સમેન કોઈ ચોક્કસ બેટિંગ પોઝિશનથી ટેવાઈ જાય. તેથી તેમના માટે અલગ-અલગ ક્રમમાં બેટિંગ કરવી મહત્વપૂર્ણ છે અને અમે તેમને તક આપીએ છીએ.”

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા (Rohit Sharma) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં સૂર્યકુમાર યાદવ સાથે ઓપનિંગ કર્યું હતું અને બંને બેટ્સમેનોએ 44 રનની ભાગીદારી કરી હતી. જોકે સૂર્યકુમાર 16 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રોહિતે 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. ભારતે બીજી T20I માટે પણ એ જ ઓપનિંગ જોડીને મેદાન પર ઉતાર્યું હતું અને ટીમ ઇન્ડિયા નિરાશ થઇ હતી. કારણ કે રોહિત શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર માત્ર 11 રન બનાવી શક્યો હતો.

ટીમ ઈન્ડિયા આ મેચમાં આખી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આપેલા લક્ષ્યાંકને વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. પાંચ મેચોની T20I શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે અને શ્રેણીની ત્રીજી મેચ 2 ઓગસ્ટે રમાશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">