AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ ICCને પિચ રેટિંગ અંગે કરી ટકોર, અન્ય ટીમોને પણ આપી ચેતવણી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ જીત્યા બાદ પિચને લઈ ICCને ટકોર કરી હતી અને મોટું નિવેદન આપતા ભારતની પિચ અંગે મોં બંધ રાખવા કહ્યું છે. ભારતીય કેપ્ટન વાસ્તવમાં પીચને લઈને ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના બેવડા વલણથી ચિંતિત છે. તેણે અહીં શું કહ્યું તે વિશે આખી વાત જાણો.

રોહિત શર્માએ ICCને પિચ રેટિંગ અંગે કરી ટકોર, અન્ય ટીમોને પણ આપી ચેતવણી
Rohit Sharma
| Updated on: Jan 05, 2024 | 8:50 AM
Share

જ્યાં એક તરફ ટેસ્ટ ઈતિહાસની સૌથી નાની મેચમાં જીતનો આનંદ જોવા મળી રહ્યો હતો, તો બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું વલણ પણ થોડું કઠોર હતું. રોહિતના વલણમાં આ કડવાશ પિચને લઈને હતી. ખાસ કરીને પિચ રેટિંગ અંગે ICC જે વર્તન દર્શાવે છે. રોહિતે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાને આ મામલે સમાન વલણ અપનાવવા વિનંતી કરી છે.

ન્યૂલેન્ડ્સની પિચને લઈ આપી પ્રતિક્રિયા

હવે સવાલ એ છે કે ભારતમાં પણ મોં બંધ રાખવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો ભારતીય કેપ્ટને પણ ન્યૂલેન્ડ્સમાં મેચ જીત્યા બાદ આ વાતનો ખૂબ જ સારી રીતે ઉલ્લેખ કર્યો છે. રોહિતના મતે પિચમાં તીવ્ર ઉછાળો હતો. એક બાઉન્સર તેના જમણા હાથ પર વાગ્યો હતો, જેના પછી તેને પણ સોજો આવી ગયો હતો. રોહિતે કહ્યું કે તે વિદેશમાં આ પ્રકારના ઉછાળાની કોઈ ફરિયાદ નથી અને હું તેની તરફેણમાં છે. પરંતુ, પ્રથમ દિવસના પ્રથમ કલાકમાં જ ભારતીય પિચ પર બોલ ટર્ન થવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ.

ભારત આવો ત્યારે મોં બંધ રાખો – રોહિત

સ્પષ્ટ છે કે અહીં રોહિતનો ટાર્ગેટ ICC તરફ હતો. ભારતીય કેપ્ટને કેપટાઉનમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ટેસ્ટ મેચમાં પિચ કેવી રીતે વર્તે છે તે આપણે બધાએ જોયું. સાચું કહું તો મને આવી પિચો પર રમવામાં કોઈ વાંધો નથી. પરંતુ ભારત આવ્યા પછી પણ તમારે મોં બંધ રાખવું પડશે. સ્પષ્ટ છે કે આવું કહીને રોહિત જણાવવા માંગે છે કે પિચને લઈને દરેક દેશનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. જો આપણે અન્ય દેશોમાં પડકારોનો સામનો કરવા તૈયાર છીએ, તો તેઓ જ્યારે ભારત આવશે ત્યારે તેમણે પણ તૈયાર રહેવું પડશે.

પિચના મૂલ્યાંકન સંદર્ભમાં સમાન અભિગમ જરૂરી

રોહિતે કહ્યું કે ભારતમાં પહેલા જ દિવસે જ્યારે બોલ પિચ પર ટર્ન થવા લાગે છે ત્યારે લોકો તેની ટીકા કરે છે. જ્યારે કેપટાઉનમાં પણ પિચમાં તિરાડો પડી હતી. પરંતુ, આ અંગે કોઈએ કંઈ કહ્યું નથી. ICCએ પિચને લઈને એક સમાન અભિગમ અપનાવવાની જરૂર છે. મેચ રેફરીએ પિચોનું મૂલ્યાંકન કરવામાં તટસ્થ રહેવું જોઈએ.

આ પણ વાંચો : ઐતિહાસિક જીત બાદ રોહિત શર્માએ કોને મોઢું બંધ રાખવાની સલાહ આપી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">