પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પર આ હતા બોજ, પસંદગીકારો જાણતા હતા
રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ કહ્યું કે હું હંમેશા એવો ખેલાડી ઈચ્છતો હતો જે પહેલી છ ઓવરમાં બોલિંગ કરી શકે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા અમારી ટીમ માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ટીમ ઈન્ડિયા (Team India) ના ખરાબ પ્રદર્શનનું કારણ આપ્યું છે. ટીમ પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી તેનું ચોક્કસ કારણ હતું અને રવિ શાસ્ત્રી કહે છે કે પસંદગીકારોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કોચનું કહેવું છે કે ટીમનું ખરાબ પ્રદર્શન માત્ર એક કારણ હતું જેને કોઈ ઠીક કરી શક્યું ન હતું.
રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચે ચાલી રહેલી શ્રેણીની મેચોનું પ્રસારણ કરતી એપ્લિકેશન ફેનકોડ પર કહ્યું કે, “હું હંમેશા એવો ખેલાડી ઈચ્છતો હતો જે પ્રથમ છ ઓવરમાં બોલિંગ કરી શકે અને તે સમયે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાગ્રસ્ત થયો હતો. તેનું ઈજાગ્રસ્ત થવું એ અમારી ટીમ માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી. ભારતીય ટીમ (Team India) ને આ એક માર સહન કરવો પડ્યો હતો. વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાને આના માટે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.”
હાર્દિક પંડ્યાની ઇજા બની હતી સમસ્યા
હાર્દિક પંડ્યા (Hardik Pandya) 2018 એશિયા કપ (Asia Cup) દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ફિટનેસ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે આગામી ત્રણ વર્ષ સુધી તેના પર કામ કર્યું. પરંતુ આખરે સર્જરી કરાવવી પડી. 2021માં ટી20 વર્લ્ડ કપ પછી તેણે પસંદગીકારોને કહ્યું હતું કે તે ટીમ સિલેક્શન માટે ઉપલબ્ધ નથી. 2022 માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) દરમિયાન તે ગુજરાત ટાઇટન્સ ટીમ (Gujarat Titans) ના સુકાની તરીકે પાછો ફર્યો અને તેના શ્રેષ્ઠ પ્રદર્શન ના આધારે તેણે ભારતીય ટીમ માં પણ જગ્યા બનાવી.
ભારતીય ટીમ (Team India) વર્લ્ડ કપ માં બે મેચો માં ખરાબ રીતે હારી હતી. કારણ કે અમારી પાસે પ્રથમ છ ઓવરમાં બોલિંગ કરી શકે તેવું કોઈ બોલર ન હતું. તેથી આ અમારા પર બોજ બની ગઈ હતી. અમે પસંદગીકારોને કહ્યું કે તેના પર ધ્યાન આપો અને આવા ખેલાડીને જુઓ, તેને લાવો પણ ત્યારે તમારી પાસે કોણ હતું.