IND vs PAK Match: ‘ટીમ ઈન્ડિયાની ભૂલથી જ પાકિસ્તાન એશિયા કપ જીતશે’, પૂર્વ પાક. સુકાની રાશિદ લતીફે કર્યો દાવો !

એશિયા કપ આ મહિનાથી યુએઈમાં શ્રીલંકાની યજમાનીમાં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી. ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.

IND vs PAK Match: 'ટીમ ઈન્ડિયાની ભૂલથી જ પાકિસ્તાન એશિયા કપ જીતશે', પૂર્વ પાક. સુકાની રાશિદ લતીફે કર્યો દાવો !
India vs Pakistan (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 7:40 AM

ક્રિકેટ ચાહકો (Cricket Fans) ને એકવાર ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની રોમાંચક મેચ જોવા મળશે. આ મેચ આ મહિનાથી UAE માં યોજાનાર એશિયા કપ 2022 (Asia Cup 2022) માં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.

ભારતની ભુલથી જ પાકિસ્તાન જીતશેઃ પુર્વ પાક. સુકાની

આ બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આમને સામને આવી હતી. ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને (Pakistan Cricket) 10 વિકેટે જીત મેળવી હતી. આ અંગે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ (Rashid Latif) નું મોટું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે છેલ્લી વખત ટીમ ઈન્ડિયા (Team India) ભૂલથી પાકિસ્તાનની ટીમ જીતી હતી. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.

‘વ્યૂહરચનાની દૃષ્ટિએ પાકિસ્તાનની ટીમ વધુ સારી’

રશિત લતીફે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાર, જીત ગમે તે હોય, પરંતુ રણનીતિની વાત કરીએ તો પાકિસ્તાન મજબૂત દેખાય રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ એક વર્ષમાં 7 સુકાની બદલ્યા છે. તેમના માટે ટીમ બનાવવી મુશ્કેલ હશે. તેની સાથે ખેલાડીઓ ચોક્કસપણે સારા છે. તેમ છતાં ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ 16 બનાવવા માટે સક્ષમ નથી. તેથી પ્લેઇંગ-11 પસંદ કરવું તેના માટે એક પડકાર હશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પૂર્વ પાકિસ્તાની સુકાની રાશિદ લતિફે વધુ કહ્યું કે, ‘છેલ્લી વખતે પાકિસ્તાન જીત્યું હતું. તે ભારતીય ટીમની ભૂલથી જીત્યું હતું. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.’

તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે રાજકીય મુદ્દાઓને કારણે 2012થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (IND vs PAK) હંમેશા માત્ર ICC ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં જ ટકરાતા જોવા મળ્યા છે.

એશિયા કપ બાદ ટી20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચે ટક્કર થશે

એશિયા કપ (Asia Cup 2022) બાદ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આ વર્ષે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પણ રમવાના છે. આમાં પણ બંને ટીમો વચ્ચે મેચ થવાની છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 23મી ઓક્ટોબરે યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આ વખતે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ 13 નવેમ્બરના રોજ રમાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">