MS Dhoniએ પુણેના પિંપરી ચિંચવાડમાં ખરીદ્યુ નવુ ઘર, મુંબઈ અને રાંચી બાદ વધુ એક ઘર
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન ધોનીએ પુણેના પિંપરી ચિંચવાડમાં નવુ ઘર ખરીદ્યુ છે. પુણેમાં રાવેતોમાં એસ્ટાડો પ્રેસિડેંશિયલ સોસાયટીમાં ઘર ખરીદ્યુ છે.
ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) રાંચીમાં ખૂબ જ આલીશાન ઘર ધરાવે છે. જ્યાં ઘરના વિશાળ ગાર્ડનની તસ્વીરો અવાર નવાર સામે આવતી રહેતી હોય છે. આ ઉપરાંત ધોનીનું મુંબઈમાં એક ઘર તૈયાર થઈ રહ્યુ છે. જેની તસ્વીર પણ ધોનીની પત્નીની સાક્ષી (Sakshi Dhoni)એ અગાઉ શેર કરી હતી. પરંતુ હવે વધુ એક ઘર ધોનીએ વસાવ્યુ હોવાના સમાચાર આવ્યા છે. ધોનીએ પુણેમાં આલીશાન મકાન ખરીદ્યાનું સામે આવ્યુ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન ધોનીએ પુણેના પિંપરી ચિંચવાડમાં નવુ ઘર ખરીદ્યુ છે. પુણેમાં રાવેતોમાં એસ્ટાડો પ્રેસિડેંશિયલ સોસાયટીમાં ઘર ખરીદ્યુ છે. જોકે નવા ઘરની કિંમત અને તેના લગતી અન્ય જાણકારીઓ હજુ સામે આવી શકી નથી. પરંતુ ઘર ખૂબ જ ઉંચી કિંમતે ખરીદ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
IPL 2021 સ્થગીત થવા બાદથી ધોની રાંચીમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ધોની પોતાના ફાર્મ અને ગાર્ડનમાં પાલતૂ પ્રાણીઓની સાથે પણ સમય પસાર કરતો રહે છે. હાલમાં જ તેના ઘરે ચેતક ઘોડાનુ આગમન થયુ છે. તેની પણ ધોની સારી સારસંભાળ લઈ રહ્યો છે. તેની પત્ની સાક્ષીએ ધોની ઘોડાને માલીશ કરતો વીડિયો શેર કર્યો હતો.
IPL 2021માં ધોનીની ટીમ
વર્ષ 2021ની સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ ખૂબ જ સારા પ્રદર્શન સાથે રમતમાં હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 મેચો પૈકી 5 મેચ જીતી હતી. જ્યારે 2 મેચ હારી હતી. ધોનીની ટીમ IPL સ્થગીત થવાના સમયે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર હતી. ટીમ 10 પોઈન્ટ ધરાવે છે. વર્ષ 2020માં ધોની માટે નિરાશાજનક રહ્યુ હતુ. CSK પ્લેઓફથી પ્રથમવાર બહાર રહી હતી.
આ પણ વાંચો: Irfan Pathanની પત્નિ સફા બેગ, ફોટાના વિવાદની સ્પષ્ટતા માટે આગળ આવી, ચહેરો બ્લર કરાતા વિવાદ સર્જાયો હતો