15મી અને 16મી ઓવરે LSGની હાર નક્કી કરી નાખી ! આ માટે કેપ્ટન રાહુલ પણ જવાબદાર હતો, અંતે બોરિયા બિસ્તરા બાંધવા પાડ્યા

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ ખાતે રમાયેલી મેચમાં આરસીબીએ (RCB) એલએસજીને (LSG) જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ લખનૌએ 193 રન બનાવ્યા અને 14 રનથી મેચ હારી ગઈ.

15મી અને 16મી ઓવરે LSGની હાર નક્કી કરી નાખી ! આ માટે કેપ્ટન રાહુલ પણ જવાબદાર હતો, અંતે બોરિયા બિસ્તરા બાંધવા પાડ્યા
Lucknow team player and coachImage Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 7:18 AM

2022માં IPLની (IPL 2022) શરૂઆત કરનાર બે ટીમો, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) સતત સારું પ્રદર્શન કર્યું અને પહેલી જ સિઝનમાં પ્લેઓફમાં પ્રવેશ કર્યો. ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં તો પહોંચી ગયું છે, પરંતુ લખનૌની સફર પૂરી થઇ ગઇ છે. બુધવાર, 25 મેના રોજ એલિમિનેટર મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના (Royal Challengers Bangalore) હાથે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં બેંગ્લોરે સારું પ્રદર્શન કર્યું, પરંતુ લખનૌએ પણ આમાં તેમની ઘણી મદદ કરી અને એવી ભૂલો કરી, જે ક્રિકેટ મેચમાં સૌથી ખરાબ માનવામાં આવે છે. એ પણ એક વાર નહિ, બે વાર.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં રજત પાટીદારની સદી અને છેલ્લી ઓવરમાં બેંગ્લોરની જોરદાર બોલિંગના કારણે લખનૌને પ્લેઓફમાંથી જ બહાર થવું પડ્યું હતું. લખનૌએ બેંગ્લોરની બેટિંગ અને પોતાની બેટિંગ દરમિયાન કેટલીક ભૂલો કરી, જે આખરે ટીમને મોંઘી પડી. અત્યારે તો બેંગ્લોરની ઇનિંગ્સ એટલે કે લખનૌની બોલિંગની જ વાત છે, જ્યાં ટીમે ભૂલ કરી. આ ભૂલ બોલિંગમાં નહોતી પરંતુ ફિલ્ડરો બોલરોને સપોર્ટ કરવામાં નિષ્ફળ જવાના કારણે હતી, જેમણે ઘણા પ્રસંગોએ ન માત્ર વિકેટની તકો ગુમાવી પરંતુ વધારાના રન પણ આપ્યા.

5 બોલમાં બે વખત ભૂલ

હવે સીધા મુદ્દા પર આવીએ તો બેંગ્લોરની ઇનિંગ્સની 15મી ઓવરથી વાત શરૂ થાય છે. ત્યાં સુધીમાં બેંગ્લોરનો સ્કોર 14 ઓવરમાં 117 રન હતો અને રજત પાટીદાર ક્રિઝ પર હતો, દિનેશ કાર્તિક તેને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો હતો. 15મી ઓવર મોહસીન ખાનની હતી, જે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના પાંચમા બોલ પર તેણે ટીમ માટે તક સર્જી હતી. દિનેશ કાર્તિક મોટો શોટ રમવામાં નિષ્ફળ ગયો અને વધારાના કવર તરફ કેચ ઉછળ્યો હતો, જે પકડવા માટે કેપ્ટન કેએલ રાહુલ તેની ડાબી તરફ દોડ્યો. આ કેચ બિલકુલ આસાન ન હતો, પરંતુ તે બહુ મુશ્કેલ પણ નહોતો. પરંતુ કેપ્ટન રાહુલે કેચ પડતો મુકતા મોહસીને સર્જેલી તક ગુમાવી દીધી. તે સમયે કાર્તિક બે રન પર હતો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ભૂલ એક વાર થાય તો ચાલે, પણ વારંવાર થાય તો સમસ્યા બની જાય છે અને લખનૌના કિસ્સામાં પણ આવું જ બન્યું. લખનૌએ માત્ર પાંચ બોલમાં જ આવી જ બીજી ભૂલ કરી હતી. 16મી ઓવરના ત્રીજા બોલ પર, રજત પાટીદારે મિડવિકેટ તરફ પુલ શોટ રમ્યો અને કેચ ઉછળ્યો, પરંતુ બાઉન્ડ્રી પર ફિલ્ડીગ કરી રહેલા દીપક હુડ્ડાએ આ સરળ તક ગુમાવી દીધી અને બોલ બાઉન્ડ્રીને પાર થઈ ગયો. તે સમયે રજત 40 બોલમાં 72 રન બનાવીને રમી રહ્યો હતો.

લખનૌ માટે આ ભૂલ ભારે પડી

આ ભૂલો લખનૌ માટે ભારે હતી કારણ કે આ પછી બંને બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. કાર્તિકે કેચ છુટ્યા બાદ તેના સ્કોરમાં વધુ 35 રન ઉમેર્યા હતા, જ્યારે પાટીદારે પણ કેચ ડ્રોપ થયા બાદ 40 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનો છેલ્લે સુધી મેદાનમાં રહ્યા અને પાંચમી વિકેટ માટે માત્ર 41 બોલમાં 92 રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને 207 રન સુધી લઈ ગયા. અંતે, લખનૌ માત્ર 14 રનથી લક્ષ્ય ચૂકી ગયું.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">