IPL: પાકિસ્તાનનો આ સ્ટાર બોલર આગામી સિઝનમાં ટુર્નામેન્ટમાં રમતો જોવા મળે તો નવાઇ નહી!
BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે.
BCCI ની IPL લીગ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત લીગ છે. જેમા રમવા માટે વિશ્વ ભરના ખેલાડીઓ સપના જોતા હોય છે. વિશ્વભરમાંથી આઇપીએલ ઓકશન માટે મોટી સંખ્યામાં નામ સામે આવતા હોય છે. જોકે પાકિસ્તાન (Pakistan) ખેલાડીઓ આ લીગમાં ભાગ લઇ શકતા નથી. કારણ કે પાકિસ્તાન દ્વારા કરાતા કૃત્યોને લઇને વણસેલા સંબંધોથી BCCI એ તેના ખેલાડીઓ માટે પ્રતિબંધ મુક્યો છે.
આ વચ્ચે હવે પાકિસ્તાન ક્રિકેટથી નિવૃત્તી લઇ ચુકેલા પૂર્વ ઝડપી બોલર મહંમદ આમિર (Mohammad Amir) આઇપીએલમાં રમતો નજર આવી શકે છે. વિવાદોને લઇને લગભગ ગત વર્ષ ડિસેમ્બરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાંસ લેનારા આમિર એ બ્રિટીશ નાગરિકતા માટે અરજી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ છોડવા બાદ હવે તે વિદેશી લીગમાં રમી રહ્યો છે. જો તે બ્રિટીશ નાગરીકતા મળી જશે તો, તે આપીએલમાં રમી શકશે.
આમિર એ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મને આ સમયે અનિશ્વિત સમય સુધી યુનાઇટેડ કિંગડમમાં રહેવા માટે મંજૂરી મળી ચુકી છે. હું આ દિવસોમાં પોતાની ક્રિકેટને વધારે આનંદથી રમી રહ્યો છુ અને આવનારા છથી સાત વર્ષ સુધી રમવાનો ઇરાદો છે. મારા બાળકો ઇંગ્લેંડમાં મોટા થઇ રહ્યા છે અને અભ્યાસ પણ અહી જ યુકેમાં કરી રહ્યા છે.
આવામાં એ વાતને લઇને કોઇ શંકા નથી કે વધારેમાં વધારે સમય હું અહી જ વિતાવીશ. હું કેટલાક અલગ પડકારો અને સંભાવનાઓની શોધમાં છુ. જોવાનુ છે કે, આગળ જ્યારે મને બ્રિટીશ નાગરીકતા મળી જાય છે, તો શુ થાય છે. તેણે નિવૃત્તી વેળા વિડીયો મારફતે આરોપ લગાવ્યો હતો, કે કેટલોક કોચિંગ સ્ટાફ નથી ઇચ્છતો કે, તે ખેલ જારી રાખે. આમિરનું કહેવુ હતું કે તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે, તેને કેટલાક લોકો ટીમમાં નથી રાખવા માંગતા.