IPL Media Rights: આગામી 5 વર્ષ માટેના આઇપીએલ પ્રસારણના અધિકારોને માટે BCCI એ ટેન્ડર બહાર પાડ્યુ, 10મે સુધીનો આપ્યો સમય

વર્તમાન IPL પ્રસારણ અધિકાર ડીલ સ્ટાર નેટવર્ક દ્વારા 2017 માં સૌથી વધુ બોલી લગાવીને મેળવવામાં આવ્યો હતો, જે હવે IPL 2022 સીઝન સાથે સમાપ્ત થાય છે.

IPL Media Rights: આગામી 5 વર્ષ માટેના આઇપીએલ પ્રસારણના અધિકારોને માટે BCCI એ ટેન્ડર બહાર પાડ્યુ, 10મે સુધીનો આપ્યો સમય
IPL 2022 ની સિઝન સાથે હાલનો પ્રસારણ કરાર પૂર્ણ થઇ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:58 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝન (IPL 2022) શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ટૂર્નામેન્ટનું કદ પણ વધ્યું છે. 10 વર્ષ બાદ IPLમાં ફરી 10 ટીમો છે. એક તરફ આઈપીએલમાં નવી શરૂઆત થઈ છે, જ્યારે તેનો મોટો હિસ્સો પણ સમાપ્ત થઈ રહ્યો છે. વર્તમાન સિઝન પછી, IPL પ્રસારણ અધિકારોની ડીલ સમાપ્ત થઈ રહી છે અને આગામી સિઝનથી નવી ડીલ શરૂ થશે. આની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેન્ડર બહાર પાડ્યું. બીસીસીઆઈએ મંગળવાર, 29 માર્ચે 2023 થી 2027 સીઝન માટે આઈપીએલના પ્રસારણ અધિકારો (IPL Media Rights Tender) માટે ટેન્ડર માટે આમંત્રણ જારી કર્યું હતું, જેના માટે રસ ધરાવતી કંપનીઓને 10 મે 2022 સુધીમાં અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે.

બીસીસીઆઈના નિવેદન અનુસાર, હરાજીના નિયમો જાણવા માટે આઈટીટી દસ્તાવેજો ખરીદવા પડશે અને આ માટે રસ ધરાવતા પક્ષોએ મોટી રકમ ચૂકવવી પડશે, જે રિફંડ કરવામાં આવશે નહીં. આ મુજબ ITT ખરીદવા માટે 25 લાખ રૂપિયા (4.50 લાખ GST વધારાના) ચૂકવવા પડશે. અરજદારો પાસે ITT ખરીદવા માટે 10 મે સુધીની છેલ્લી તારીખ છે. રુચિ ધરાવતા પક્ષોને ITT ની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણી સહીતની વિગતો iplmediarights2020@bcci.tv પર ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ વખતે થશે ઈ-ઓક્શન

તે જ સમયે, બોર્ડના સચિવ જય શાહે મીડિયા અધિકારો મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે IPL ઇતિહાસમાં પ્રથમ વખત, BCCI નવા બિડર્સ માટે ઇ-ઓક્શનની વ્યવસ્થા કરશે અને તે 12 જૂનથી શરૂ થશે. આ સિવાય શાહે પોતાના ટ્વિટમાં કહ્યું કે, “બે નવી ટીમો, વધુ મેચો, વધુ સ્થળો અને વધુ એસોસિએશન સાથે, અમે IPLને નવી અને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માંગીએ છીએ.”

જય શાહે એમ પણ કહ્યું કે નવા પ્રસારણ અધિકારોથી વધુ આવકની સાથે IPLનું મહત્વ પણ વધશે. તેમણે કહ્યું, “મને કોઈ શંકા નથી કે આ પ્રક્રિયા માત્ર મહત્તમ આવક જ નહીં પરંતુ મહત્તમ મહત્વ પણ ધરાવે છે. જેનો ભારતીય ક્રિકેટને ઘણો ફાયદો થશે.

વધુ ટીમો, વધુ મેચો, વધુ કમાણી

ભારતીય બોર્ડ આગામી પાંચ વર્ષ સુધી પ્રસારણ અધિકારો દ્વારા આશરે રૂ. 50,000 કરોડની કમાણી કરવાની અપેક્ષા રાખે છે. ગુજરાત અને લખનૌ ફ્રેન્ચાઈઝીના સમાવેશ સાથે આઈપીએલ મેચોની સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે. જેના કારણે હરાજીમાં મજબૂત બિડિંગ સ્પર્ધા થવાની સંભાવના છે કારણ કે આ સેગમેન્ટમાં હવે G-Sony અને Reliance Viacom 18 પણ સામેલ છે. BCCI દ્વારા એમેઝોન પ્રાઇમ, મેટા અને યુટ્યુબ પાસેથી ‘ડિજિટલ સ્પેસ’ માટે આક્રમક બિડ્સની અપેક્ષા રાખે છે. હાલમાં, ભારતમાં IPL માટે એકમાત્ર લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર છે, જે સ્ટાર નેટવર્કનો એક ભાગ છે.

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">