IPL 2022: સુકાની રોહિત શર્માનો એક મજેદાર કિસ્સોનો ઇશાન કિશને કર્યો ખુલાસો
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી લીગમાં કુલ બે મેચ રમી છે અને આ બંને મેચમાં મુંબઈએ હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ તેના કાર્યકાળ દરમિયાન ઘણા યુવાનોને ટેકો આપ્યો છે અને ઈશાન કિશન (Ishan Kishan) ચોક્કસપણે તેમાંથી એક છે. આ બંને ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સ અને ભારત બંને માટે કેટલીક શાનદાર ભાગીદારી રમી છે. આ બંનેની ઓપનિંગ જોડી પણ IPL ની સૌથી ખતરનાક જોડીમાંથી એક છે. જો કે, એક સમય એવો હતો જ્યારે ઇશાન કિશન ફ્રેન્ચાઇઝી સાથે હજુ જોડાયો જ હતો અને ત્યારે રોહિત શર્માને પ્રભાવિત કરવા માંગતો હતો. જો કે, ઇશાન કિશને કહ્યું કે તેણે આ પ્રયાસમાં રોહિત શર્માને ગુસ્સે કર્યો હતો.
‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ શોમાં ઇશાન કિશને કહ્યું, તમે જાણો છો કે મેં એકવાર વાનખેડેમાં શું કર્યું હતું. હું નવો હતો, મારી પહેલી સીઝન હતી અને મને કંઈ ખબર ન હતી. હવે, બોલને જૂનો બનાવવા માટે તમે તેને સામાન્ય રીતે જમીન પર ફેંકી દો છો. તેથી તે દિવસે મેચમાં ઘણી ઝાકળ હતી અને મેં વિચાર્યું કે જો હું બોલને જમીન પર ઘસું તો રોહિત ભાઈ ખુશ થશે કે હું બોલને જૂનો કરી રહ્યો છું.
ઈશાન કિશને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રોહિત શર્મા ગ્રુપમાં યુવાનોની ખૂબ કાળજી લેતો હતો અને ઘણીવાર તેમને મેદાન પર જે પણ બોલે તેને અંગત રીતે ન લેવાનું કહેતો હતો. તેણે કહ્યું, તો તે ઝાકળમાં, મેં બોલને જમીન પર ફેરવ્યો અને તેને આપ્યો. આ પછી તેણે પોતાનો ટુવાલ કાઢ્યો અને મને ગાળો આપી. મેં ફરીથી નીચે જોયું અને મે મહેસુસ કર્યું કે મેં શું કર્યું છે અને પછી તેણે મને કહ્યું, ‘તેને દિલ પર ન લો, આ મેચોમાં થતું રહેતું હોય છે.’
રાહુલ ચહરની સફળતામાં રોહિત ભાઈ મોટી ભુમિકા નિભાવી હતીઃ ઇશાન કિશન
રાહુલ ચહર એવા ઘણા યુવા ક્રિકેટરોમાંથી એક છે જેમને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શ્રેષ્ઠ બનાવવામાં આવ્યા હતા અને ભારત માટે રમવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઇશાન કિશને યાદ કર્યું કે કેવી રીતે રોહિત શર્મા ચહરને બોલને હવા આપવા માટે પ્રેરિત કરતો હતો. જેથી તેની પાસે વિકેટ લેવાની વધુ સારી તકો હોય. તેણે કહ્યું, મેં પોતે રાહુલ ચહર સાથે જોયું છે, હું વિચારી રહ્યો છું કે તેણે 2-3 ડોટ બોલ ફેંક્યા છે. મને લાગે છે કે બેટ્સમેન હવે હિટ કરશે. પરંતુ (રોહિત) તેને પાછળથી બોલ હવામાં છોડશે તેવું કહેતા હોય છે. રાહુલની સફળતામાં રોહિત ભાઈનો મોટો ફાળો છે.
ઇશાન કિશને એ પણ વાત કરી કે કેવી રીતે રોહિત શર્મા સતત ચહર સાથે વાત કરતો હતો અને તેને પોતાનામાં વિશ્વાસ કરવામાં મદદ કરતો હતો. કિશને કહ્યું, મેં પોતે જોયું છે કે રોહિત ભાઈ તેને કવરમાંથી જઈને વિશ્વાસ આપતા હતા. રાહુલ તેને પૂછતો હતો કે શું તેને ફિલ્ડરને પાછા લેવાની જરૂર છે. પરંતુ રોહિત તેમને કહેતો હતો કે ‘મને તમારા પર વિશ્વાસ છે. તમે તમારી રીતે રમતા જાવ…
આ પણ વાંચો : IPL 2022: આવેશ ખાનની 4 ઓવરે બદલ્યો ખેલ, જાણો કેવી રીતે છીનવી લીધી હૈદરાબાદના હાથમાંથી જીત
આ પણ વાંચો : IPL 2022: ઋતુરાજના ફોર્મને લઈને જાડેજાનું મોટું નિવેદન, કહ્યું- કેવી રીતે વાપસી કરશે