IPL 2022: કેએલ રાહુલ બાદ પંજાબ કિંગ્સનો સાથ આ દિગ્ગજે પણ છોડી દીધો, નવી ટીમો દ્વારા મળી કરોડોની ઓફર!

પંજાબ કિંગ્સે IPL 2022 રિટેન્શન (IPL Retention) માં માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા પરંતુ હવે સહાયક કોચ એન્ડી ફ્લાવરે (Andy Flower) પણ ફ્રેન્ચાઇઝી છોડી દીધી છે.

IPL 2022: કેએલ રાહુલ બાદ પંજાબ કિંગ્સનો સાથ આ દિગ્ગજે પણ છોડી દીધો, નવી ટીમો દ્વારા મળી કરોડોની ઓફર!
Andy Flower
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:54 AM

IPL 2022 રિટેન્શન (IPL 2022 Retention) માં માત્ર 2 ખેલાડીઓને રિટેન કરનાર પંજાબ કિંગ્સ (Punjab Kings) ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કિંગ્સના સહાયક કોચ એન્ડી ફ્લાવરે (Andy Flower) ટીમ છોડી દીધી છે. સમાચાર અનુસાર, એન્ડી ફ્લાવર IPLની 2 નવી ટીમોમાંથી કોઈપણ એક સાથે જોડાવા જઈ રહ્યો છે. કેએલ રાહુલ (KL Rahul) ને પંજાબ કિંગ્સની ટીમમાં જાળવી ન રાખવાને કારણે ફ્રેન્ચાઈઝીને પહેલાથી જ મોટો આંચકો લાગ્યો હતો. હવે એન્ડી ફ્લાવર જેવા લડાયક કોચનો સાથ છોડવો તેના માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

ઇંગ્લેન્ડમાં એક દાયકાથી વધુ સમય સુધી કોચ તરીકે કામ કરનાર ફ્લાવર 2020ની સિઝન પહેલા પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હતા. એ પ્રથમ વખત હતુ જ્યારે તે IPL ટીમ સાથે જોડાયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું, તેમણે તાજેતરમાં જ ટીમને પોતાનું રાજીનામું મોકલ્યું છે. તેનો સ્વીકાર કરવામાં આવ્યુ છે.

તે નવી ટીમ (લખનૌ કે અમદાવાદ) સાથે જોડાય તેવી દરેક સંભાવના છે. આગામી IPLમાં 53 વર્ષીય પૂર્વ બેટ્સમેનને વધુ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. શક્ય છે કે બે નવી ટીમોમાંથી એક દ્વારા ફ્લાવરને વધુ પૈસાની ઓફર કરવામાં આવી હોય.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શું ફ્લાવર રાહુલ સાથે લખનૌમાં જોડાશે?

ફ્લાવર છેલ્લા બે વર્ષથી મુખ્ય કોચ અનિલ કુંબલે સાથે કામ કરી રહ્યા હતા. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સના કેપ્ટન રહી ચૂકેલા કેએલ રાહુલ લખનૌ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. પંજાબ રાહુલને ટીમમાં જાળવી રાખવા માંગતા હતા, પરંતુ આ ઓપનિંગ બેટ્સમેન કોઈ અન્ય ટીમમાં સામેલ થવા માંગે છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ફ્લાવર સેન્ટ લુસિયા કિંગ્સના કોચ તરીકે ચાલુ રહેશે કે કેમ તે જોવું રહ્યું.

CPL ની આ ફ્રેન્ચાઈઝીની માલિકી પણ પંજાબ કિંગ્સ પાસે છે. તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં વસીમ જાફર પંજાબ કિંગ્સના બેટિંગ કોચ અને જોન્ટી રોડ્સ ફિલ્ડિંગ કોચ હતા. પંજાબે જાન્યુઆરીમાં યોજાનારી હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. પંજાબ કિંગ્સ પણ કેએલ રાહુલને ટીમમાં જાળવી રાખવા માંગતી હતી પરંતુ આ ખેલાડી તેના માટે તૈયાર નહોતો.

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

આ પણ વાંચોઃ IPL 2022: રાશિદ ખાને પૈસા માટે નહી પરંતુ આ કારણ થી સનરાઇઝર્સ હૈદરાબાદથી છુટા પડવાનો કર્યો હતો નિર્ણય!

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">