IPL 2021: ટુર્નામેન્ટ આગામી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સમાપન

IPL 2021ની બાકી રહેલી 31 મેચનું આયોજન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં UAEમાં યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર ટુર્નામેન્ટમાં બાકી રહેલી મેચોને ત્રણ સપ્તાહના સમયમાં જ પુર્ણ કરી લેવાઈ શકે છે.

IPL 2021: ટુર્નામેન્ટ આગામી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સમાપન
IPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 25, 2021 | 11:14 PM

IPL 2021ની બાકી રહેલી 31 મેચનું આયોજન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં UAEમાં યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર ટુર્નામેન્ટમાં બાકી રહેલી મેચોને ત્રણ સપ્તાહના સમયમાં જ પુર્ણ કરી લેવાઈ શકે છે. ડેમાં 10 ડબલ હેડર મેચ રમાઈ શકે છે. BCCIના ગણિત મુજબ 31 મેચ માટે ત્રણ સપ્તાહનો સમય પુરતો છે.

મીડિયા રિપોર્ટનુસાર BCCIના અધિકારીએ કહ્યુ હતુ કે, લીગની શરુઆત થવાની તારીખ સ્ટેકહોલ્ડરને 18થી 20 સપ્ટેમ્બર દર્શાવાઈ છે તો 19 સપ્ટેમ્બરે રવિવાર છે. આમ શક્ય છે કે, બોર્ડ આ તારીખથી જ લીગને શરુ કરવા ઈચ્છશે. આમ ફાઈનલ મેચ પણ 9 અથવા 10 ઓક્ટોબરે રમાઈ શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આઈપીએલ 2021ને મે માસના પ્રથમ સપ્તાહમાં જ સ્થગીત કરી દેવાઈ હતી. જે પ્રમાણે બાયોબબલમાં એક બાદ એક કોરોના સંક્રમિતો સામે આવવા લાગ્યા હતા, જેને લઈને તેને રોકી લેવા માટે નિર્ણય લેવાયો હતો. સ્થગીત કરવા અગાઉ આઈપીએલની 29 મેચ રમાઈ ચુકી હતી.

આ દરમ્યાન રિપોર્ટ એમ પણ આવી રહ્યા હતા કે ભારત અને ઈંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના દિવસોને ઘટાડવામાં આવે. જેનાથી ટેસ્ટ સિરીઝ ઝડપથી પુરી થઈ શકે. જોકે બીસીસીઆઈએ આ વાતનું ખંડન કર્યુ હતુ, તેમણે કહ્યું હતુ કે તેમના સમક્ષ બીસીસીઆઈએ આવી કોઈ રજૂઆત કરી નથી. આમ ટેસ્ટ સિરીઝનું શિડ્યુઅલ નિયત કાર્યક્રમ મુજબ ચાલશે.

ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરુઆત 4 ઓગષ્ટથી થનાર છે. જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. સિરીઝ ખતમ થવા બાદ ભારત અને ઈંગ્લેંડના ખેલાડી માન્ચેસ્ટરથી યુએઈ માટે એક સાથે રવાના થઈ શકે છે. આ ઉપરાંત બીસીસીઆઈની વિશેષ વાર્ષિક સાધારણ સભા (AGM) પણ 29 મે એ મળનારી છે.

જ્યારે ICCની બેઠક 1 જૂને યોજાનાર છે. ICCને જે મિટીંગ દરમ્યાન T20 વિશ્વકપને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. ભારતમાં 16 દેશોની ટીમો વચ્ચે ટી20 વિશ્વકપ ઓક્ટોબરથી રમાનાર છે અને જેની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાનારી છે.

આઈસીસીની બાયો સેફ્ટ ટીમ 26 એપ્રિલથી ભારત પ્રવાસે આવનાર હતી. જેથી તે સ્થળોનું નિરીક્ષણ કરી શકે. જોકે યુએઈ દ્વારા ભારત માટે પ્રવાસને લઈને પ્રતિબંધ ફરમાવ્યા હોવાને લઈને નિરીક્ષણ યોજના સ્થગીત કરાઈ છે. ભારતમાં કોરોના મહામારીની સ્થિતીને લઈને T20 વિશ્વકપ યુએઈમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. જોકે તેનું આયોજન બીસીસીઆઈ પાસે રહી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">