IPL 2021: વિરાટ કોહલી અને ઇશાન કિશનની વાયરલ થવા લાગેલી આ તસ્વીર પણ ઘણું બધુ કહી રહી છે, જાણો ક્યાં નિશાન તાકી રહ્યો છે કોહલી
આ માત્ર તસવીર નથી પણ વિરાટ કોહલી (Virat Kohli) ની T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે તૈયારી છે. કેપ્ટન, વરિષ્ઠ ખેલાડી શું કરી શકે છે, વિરાટ તેની આ તસવીરમાં તે જ વસ્તુ કરતો જોવા મળે છે જે વાયરલ થયો હતો.
ખેલાડીઓ માટે ભારતીય ટીમ મોટી કે IPL… આ પ્રશ્ન ઘણી વખત ઉભો થયો છે. વિરાટ કોહલી (Virat Kohli) ની આ તસવીર પણ આ સવાલનો મોટો જવાબ હોઈ શકે છે. હવે તમે કહેશો કે આ તસ્વીરમાં શું ખાસ છે. તો અમે જે તસ્વીરની વાત કરી રહ્યા છીએ તે માત્ર એક તસવીર નથી. પણ વિરાટ કોહલીની ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે તૈયારી છે. એક કેપ્ટન, એક સિનીયર ખેલાડી શું કરી શકે છે, એજ કામ વિરાટ તેની આ વાયરલ તસ્વીરમાં કરતો જોવા મળે છે.
IPL માં RCB ના કેપ્ટન વિરાટ કોહલી આ તસવીરમાં મુંબઈ ઈન્ડીયન્સના બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) સાથે વાત કરતા જોવા મળે છે. આ તસ્વીર દુબઈમાં મુંબઈ અને બેંગ્લોરની મેચ પૂરી થયા બાદ લેવામાં આવી છે.
કહેવાય છે કે તસ્વીર બોલે છે અને આ તસવીર પણ કંઈક આમ જ કહેવાનો પ્રયત્ન કરી રહી છે. ખરેખર, વિરાટ કોહલી, જેની નજર ચોક્કસપણે RCB કેપ્ટન તરીકે IPL 2021 પર છે, પરંતુ લક્ષ્ય માત્ર T20 વર્લ્ડ કપ પર છે. અને, મુંબઈ ઈન્ડીયન્સનો ખેલાડી ઈશાન કિશન તેમના T20 વર્લ્ડ કપ મિશનનો અભિન્ન ભાગ છે. પરંતુ, સમસ્યા એ છે કે ઇશાન કિશન હાલમાં આઉટ ઓફ ફોર્મ છે. જે પિચો પર T20 વર્લ્ડ કપ રમાવાનો છે, ત્યાંજ ટીમ ઈન્ડીયાના આ યુવા ચહેરાનુ ફોર્મ આઉટ છે. આ જ કારણ છે કે મેચ બાદ વિરાટ કોહલી, આઈપીએલ પહેલા દેશનું હિત રાખીને તેની સાથે વાત કરવા આવ્યો હતો.
Nice to see Virat Kohli talking to Ishan Kishan after the match who hasn’t scored much runs. #MI #RCB pic.twitter.com/a8mcauSYZt
— India Fantasy (@india_fantasy) September 26, 2021
Great to see Virat Kohli having a talk with Ishan Kishan after the match, with the T20 World Cup starting in a few weeks. His form is quite concerning as an ICT fan. #RCBvMI pic.twitter.com/O2Z9LLoZe9
— ᴷᴷᴿ (@AwaaraHoon) September 26, 2021
Leader @imvkohli ❤️ Talking to Ishan kishan when Ishan is going though a tough phase. pic.twitter.com/gXHZiL0CFw
— Yashvi (@ItsYashswiniR) September 26, 2021
IPL 2021 ના બીજા ભાગમાં ઇશાન કિશન
આઇપીએલ 2021 ના બીજા ભાગમાં ઇશાન કિશન પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેનો જવાબ એ છે કે અત્યાર સુધી રમાયેલી 3 મેચોના તેના આંકડા છે, જેમાં કિશને કુલ 34 રન જ બનાવ્યા છે. તેણે CSK સામે પ્રથમ મેચમાં 11 રન બનાવ્યા હતા, ત્યારબાદ KKR સામે બીજી મેચમાં 14 રન બનાવ્યા હતા અને RCB સામે 9 રનથી આગળ વધી શક્યો ન હતો.
ઇશાન કિશનનું આ નબળું ફોર્મ મુંબઇ ઇન્ડીયન્સ ફ્રેન્ચાઇઝી માટે ચિંતાનું કારણ બની ગયું છે. પરંતુ આજ કારણોથી ટીમ ઈન્ડીયાના વર્તમાન ટી20 કેપ્ટન વિરાટ કોહલીની ને પણ ચિંતામાં વધારો થયો છે. આ જ કારણ છે કે તે ખુદ ઈશાન પાસે પોતાનું ટેન્શન નુ સમાધાન કરવા પહોંચ્યો હતો.