IPL 2021: પ્રથમ તબક્કામાં નિષ્ફળ રહેલ કલકત્તા નાઇટ રાઇડર્સ બીજા તબક્કામાં કમાલ કરશે! જુઓ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે
કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) બે વખત IPL નો ખિતાબ જીત્યો છે. પ્રથમ વખત ટીમે 2012 માં ખિતાબ જીત્યો હતો અને ત્યાર બાદ 2014 માં ટ્રોફી જીતી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) બે વખત IPL નો ખિતાબ જીત્યો છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં આ ટીમે 2012 માં પ્રથમ વખત IPL ની ટ્રોફી ઉપાડી અને 2014 માં ફરી એક વખત આ ટીમ વિજેતા બની. પરંતુ આ પછી છ સીઝન થઈ ગઈ છે, પરંતુ આ ટીમ ટાઇટલ જીતી શકી રહી નથી. આ સિઝનમાં પણ આ ટીમ ખરાબ પ્રદર્શનથી પીડાઈ રહી છે. IPL 2021 ના પહેલા તબક્કામાં ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું. આ સિઝનમાં ટીમની કમાન ઇયોન મોર્ગન (Eoin Morgan) ના હાથમાં હતી. પરંતુ પ્રથમ વખત ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ કેપ્ટન પ્રથમ તબક્કામાં KKR ના ભવિષ્યને બદલી શક્યો નથી.
પહેલા ચરણમાં KKR એ સાત મેચ રમી હતી. આ સાત મેચમાં, તેણે માત્ર બે મેચ જીતી હતી પરંતુ પાંચમાં હાર મેળવી હતી. હવે તેણે બીજા તબક્કામાં વધુ સાત મેચ રમવાની છે. ટીમ માટે પ્લેઓફમાં પહોંચવાની તકો હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી.
પ્રથમ હાલ્ફમાં KKR કેટલીક મેચ નજીકથી હારી ગયું હતું જેના કારણે નુકસાન થયું હતું. પરંતુ બીજા તબક્કામાં તે હાર હવે સહન કરી શકશે નહીં. જો તે અંતિમ-4 માં પહોંચવા માંગે છે, તો તેણે બાકીની સાતમાંથી પાંચ મેચ જીતવી પડશે. જો તે આમ કરવામાં સફળ રહે છે તો, તો તે સાત જીત સાથે 14 પોઇન્ટ મેળવશે. પ્રથમ તબક્કામાં ટીમના પ્રદર્શનને જોતા એવું લાગે છે કે આ ટીમ પાંચ મેચ જીતી શકે છે.
ટીમમાં તાકાત છે
કેકેઆરની ટીમની વાત કરીએ તો તેમાં સાતમાંથી પાંચ મેચ જીતવાની શક્તિ છે. તેમનું બોલિંગ આક્રમણ ઘણું મજબૂત છે. ટીમમાં પેટ કમિન્સ જેવો બોલર છે. દરેક વ્યક્તિ કમિન્સના અનુભવ અને પ્રતિભાથી વાકેફ છે. ઝડપી બોલિંગ આક્રમણમાં તેની સાથે, ટીમમાં યુવા ભાવના છે. કમલેશ નાગરકોટી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર જેવા બોલરો છે. ટીમનો સ્પિન એટેક પણ મજબૂત છે. વરુણ ચક્રવર્તી જેવા મિસ્ટ્રી સ્પિનરે પોતાની આવડત બતાવી છે. તેણે સાબિત કરી દીધું છે કે તેના સ્પિનમાં કોઈ પણ તોફાનને બ્રેક લગાવવાની તેનામાં શક્તિ છે.
તેમના સિવાય પણ ટીમમાં સુનીલ નરેન જેવા દિગ્ગજ સ્પિનર પણ છે. બીજી બાજુ, જ્યારે બેટિંગની વાત આવે છે, ત્યારે યુવા બેટ્સમેન શુભમન ગીલ પર ઘણું નિર્ભર રહેશે. તેના સિવાય કેપ્ટન મોર્ગન, અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક, નીતીશ રાણા અને તોફાની બેટ્સમેન આન્દ્રે રસેલ ટીમની બેટિંગની કમાન સંભાળશે. પ્રથમ તબક્કામાં, ગિલ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નથી, પરંતુ બીજા તબક્કામાં જો ટીમને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે જરૂરી મેચ જીતવી હોય તો આ તમામ બેટ્સમેનોએ ચાલવું જરુરી છે. ખાસ કરીને રસેલ. બીજા તબક્કામાં તેણે વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે.
બીજા તબક્કામાં KKR નું શિડ્યૂલ કેવું છે, જુઓ અહીં
- 20 સપ્ટેમ્બર (સોમવાર): કલકત્તા vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, અબુ ધાબી
- 23 સપ્ટેમ્બર (ગુરુવાર): કલકત્તા vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, અબુ ધાબી
- 26 સપ્ટેમ્બર (રવિવાર): કલકત્તા vs ચેન્નાઈ સુપર કિંગ્સ, બપોરે 3:30, અબુ ધાબી
- 28 સપ્ટેમ્બર (મંગળવાર): કલકત્તા vs દિલ્હી કેપિટલ્સ, બપોરે 3:30, શારજાહ
- 01 ઓક્ટોબર (શુક્રવાર): કલકત્તા vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
- 03 ઓક્ટોબર (રવિવાર): કલકત્તા vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
- 07 ઓક્ટોબર (ગુરુવાર): કલકત્તા vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, શારજાહ