IPL 2021: અત્યાર સુધી પંજાબ પર ભારે રહ્યુ છે કલકત્તા, રેસમાં ટકી રહેવા કલકત્તાને જીત જરૂરી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સોમવારે આઇપીએલ 2021ની સિઝનની 21મી મેચ રમાનારી છે. અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા, ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની આ સિઝનની પ્રથમ મેચ આજે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સોમવારે આઇપીએલ 2021ની સિઝનની 21મી મેચ રમાનારી છે. અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા, ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની આ સિઝનની પ્રથમ મેચ આજે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. આંકડાઓને જોવામાં આવે તો, આ બંને ટીમો વચ્ચે ટક્કર લગભગ એક તરફી રહી છે. જેમાં બંને ટીમો સારુ પ્રદર્શન નથી કરી રહ્યા. આવામાં મેચ પણ આકર્ષ બની શકે છે.
પંજાબ અને કલકત્તા ની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં આઇપીએલ ના ઇતિહાસમાં 27 મેચ રમાઇ ચુકી છે. જોકે હેરાન કરવા વાળી વાત એ છે કે, બંને ટીમો વચ્ચે જીતની ટકાવારી ખાસ્સુ અંતર છે. 27 મેચમાં 18 મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ એ જીતી છે. જ્યારે 9 મેચમાં પંજાબ કિંગ્સને જીત મળી છે. આવામાં પંજાબ ટીમ કલકત્તા ની સામે ઢીલી નજર આવી રહી છે. જોકે હવે સ્થિતી બદલાઇ છે, એટલે બંને વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ ની ટીમ વચ્ચે રમાયેલી પાછળની છ મેચોની વાત કરવામાં આવે તો, કલકત્તાની ટીમ પંજાબ પર ભારે છે. કારણ કે ફક્ત બે મેચ જ પંજાબ કિંગ્સે જીતી છે. જ્યારે ચાર મેચ કલકત્તાએ જીતી છે. તો વળી આ સિઝનમાં વાત કરવામાં આવે તો, બંને ટીમો પ્રથમ વાર એક બીજી સામે ટકરાવા જઇ રહી છે. આ ઉપરાંત કલકત્તાની ટીમ લગાતાર ચાર મેચ હારી ચુકી છે. અને પંજાબની ટીમ પાંચમાં થી બે મેચ જીતી ચુકી છે. આવામાં મેચ વધારે આકર્ષક બની શકે છે. કારણ કે કલકત્તાએ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચને જીતવી જરુરી છે.