IPL 2021: બોલર અશ્વિનના પરિવારમાં ચાર બાળકો સહિત દશ જણાને કોરોના સંક્રમણ, પત્નિ પ્રિતીએ કર્યો ખુલાસો
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ની પત્નિ પ્રિતી નારાયણન (Prithi Narayanan) એ તેમના પરિવારના દશ સભ્યો કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી.
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ની પત્નિ પ્રિતી નારાયણન (Prithi Narayanan) એ તેમના પરિવારના દશ સભ્યો કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર અશ્વિન એ કોરોના સામે લડી રહેલા પરિવારની સહાયતા માટે ગત રવિવારે IPL 2021 ટુર્નામેન્ટ છોડીને પરત ઘરે ફર્યો હતો. અશ્વિની પત્નિ પ્રિતી એ એક બાદ એક ટ્વીટ કરીને તેમનો પરિવાર હાલમાં કેવી પરિસ્થિતી વચ્ચે થી પસાર થઇ રહ્યો છે, તે બતાવ્યુ હતુ.
પ્રિતી એ કહ્યુ હતુ કે, એક જ સપ્તાહમાં પરિવારના છ મોટા અને ચાર બાળકો કોરોના સંક્રમિત જણાઇ આવ્યા હતા. તે તમામને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ એડમીટ કરવામાં આવ્યા હતા. આખુય સપ્તાહ એક ખરાબ સપનાની માફક પસાર થઇ રહ્યુ હોવાનુ ગણાવ્યુ હતુ. સાથએ જ પ્રિતી એ કહ્યુ હતુ કે રસીકરણ કરાવી લેવુ જોઇએ અને પોતાને અને પોતાના પરિવારને આ મહામારી થી સુરક્ષીત કરી લેવુ જોઇએ.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission – the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
પ્રિતીએ કહ્યુ હતુ કે, માનસિક રુપ થી સ્વસ્થ થવા કરતા શારિરીક રીતે સ્વસ્થ થવુ આસાન છે. પાંચ થી આઠમાં દીવસ નો સમય સૌથી ખરાબ હતો. મદદ માટે દેરક લોકો કહેતા હતા, પરંતુ સાથે કોઇ નહોતુ. આ બીમારી તમને એકદમ એકલા કરી દે છે.
I guess physical health will recover faster than mental health. Days 5-8 were the absolute worst for me. Everybody was there, offering help yet there's no one with you. Most isolating disease. Please do reach out and seek help.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
34 વર્ષીય અશ્વિન એકલો એવો ખેલાડી નથી કે, જે હાલની આઇપીએલ સિઝન થી હટી જવા માટે નો નિર્ણય કર્યો હોય તેના પહેલા પણ અનેક ખેલાડી જુદા જુદા કારણો સર ટુર્નામેન્ટ છોડી ચુક્યા છે. રાજસ્થાન રોયલ્સ ના લિવિંગસ્ટોને બાયોબબલ થી થાકીને ટુર્નામેન્ટ ને છોડી દીધી હતી. આમ એક બાદ એક અનેક ખેલાડીઓ ટુર્નામેન્ટને છોડી ચુક્યા છે.