IPL 2021: સારા પ્રદર્શન છતાં ટીમમાં થઇ શકે છે બદલાવ, ઋષભ પંતે પંજાબ સામે જીત બાદ કહ્યુ
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રવિવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે સાત વિકેટ થી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે દીલ્હી કેપિટલ્સ ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ખૂબ જ ખુશ નજર આવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રવિવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે સાત વિકેટ થી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે દીલ્હી કેપિટલ્સ ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ખૂબ જ ખુશ નજર આવ્યો હતો. તેણે મેચ બાદ બતાવ્યુ હતુ કે, કયા કારણોસર ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે. તેણે એ પણ કહ્યુ કે, લીગ લરાઉન્ડના આગળના તબક્કામાં ટીમમાં કેટલાક બદલાવ પણ જોવા મળી શકે છે. દિલ્હી કેપિટલ્સ એ અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે. જેમાં છ મેચ જીતીને ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપર થઇ ચુકી છે. સિઝનમાં શ્રેયસ ઐયર ઇજાને લઇને રમી નથી રહ્યો અને તેના સ્થાને દિલ્હી કેપિટલ્સ ની આગેવાની પંત સંભાળી રહ્યો છે. કેપ્ટનની બાબતમાં વાત કરવમાં આવે તો, તેણે કહ્યુ કે તે આનો આનંદ લઇ રહ્યો છે અને સાથે જ સિનીયર ખેલાડીઓ થી ઘણુ શીખી રહ્યો છે.
ઋષભ પંતે કહ્યુ કે, રિકી પોન્ટીંગ અને સિનીયર ખેલાડીઓ થી તેને દરેક દિવસે નવુ કંઇક શિખવા મળી રહ્યુ છે. પંજાબ કિંગ્સ ને પહેલા બેટીંગ કરવા માટે મેદાને ઉતારાતા કાર્યકારી કેપ્ટન મયંક અગ્રવાલ એ અણનમ 99 રન ની મદદ થી છ વિકેટે 166 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ એ શિખર ધવનના અણનમ 69 અને પૃથ્વી શો ના 39 રનની મદદ થી 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર કરી લીધુ હતુ. પંતે મેચ બાદ કહ્યુ હતુ કે, શિખર ભાઇ અને પૃથ્વી શો એ અમને ખૂબ સારી શરુઆત અપાવી હતી, જેના થી અમારી ઇનીંગ સારી નજર આવી. જ્યારે તમને દરેક મેચમાં સારી શરુઆત મળે છે તો સારુ લાગે છે. તમામ ખેલાડી પોતાનુ યોગદાન આપી રહ્યા છે. મોટાભાગની બાબતો યોગ્ય થઇ ચુકી છે, જોકે કલકત્તા ના તબક્કામાં અમારે કેટલાક નવા વિકલ્પ અપનાવવાની જરુર છે.
ટીમમાં પ્રતિસ્પર્ધા ખૂબ સારી છે. હું દરેક દિવસનો પૂરો આનંદ લઇ રહ્યો છુ. પોતાના અનુભવન અને સિનીયરની સલાહનો ઉપયોગ કરી રહ્યો છુ. અમે એવો માહોલ તૈયાર કરવાની કોશિષ કરી રહ્યા છીએ જેમાં દરેક સારુ મહેસુસ કરે. દિલ્હી કેપિટલ્સ ગઇ સિઝનમાં ઉપ વિજેતા રહ્યુ હતુ. આ વર્ષે પણ ટીમ જે રીતે રમી રહી છે, તેના થી તે ટાઇટલ માટે પ્રબળ દાવેદારોમાં ગણવામાં આવી રહી છે.