IND vs SL 2023 : રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે યોજાશે T20 મેચ, ઓનલાઇન બુકિંગ શરૂ

શ્રીલંકાની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2023માં ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડેની સિરીઝ રમશે. 7 જાન્યુઆરીના રોજ ટી 20 મેચ રમાશે. મેચને લઈ ઓનલાઈન બુકિંગ પણ શરુ થઈ ચૂક્યું છે.

IND vs SL 2023 : રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે યોજાશે T20 મેચ, ઓનલાઇન બુકિંગ શરૂ
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 12:23 PM

ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જાન્યુઆરીએ ઇન્ડિયા Vs શ્રીલંકા વચ્ચે T 20 મેચ રમાશે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ટીમ ઇન્ડિયા જ્યારે રાજકોટ આવી રહી હોય ત્યારે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક ટિકિટનો ભાવ રૂપિયા 1100થી લઈ ₹7,000 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટને બીજા T-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે.

તડામાર તૈયારીઓ શરૂ

શ્રીલંકાની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA) ઉપર પહેલીવાર T-20 મુકાબલો રમવા ઉતરશે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રીલંકાની ટીમ રાજકોટ રમવા આવનારી છે ત્યારે રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ હશે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટરસિકો માટે આનંદના સમાચાર  છે.

શ્રીલંકા ત્રણ ટી-20 અને વન-ડે મેચની સિરીઝ રમશે

શ્રીલંકાની ક્રિકેટ ટીમ આ વર્ષે ભારતના પ્રવાસ પર ત્રણ ટી-20 અને વન-ડે મેચની સિરીઝ રમશે. આ સિરીઝ જાન્યુઆરી 2023માં બંને દેશો વચ્ચે રમાશે. સિરીઝની શરૂઆત ટી-20 સિરીઝથી થશે. બંને દેશો વચ્ચે રમાનારી T20 અને ODI સિરીઝ માટે સ્થળની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ આજ સુધી ભારતીય ધરતી પર T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતની ધરતી પર ટી20 સિરીઝમાં શ્રીલંકાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2009માં હતું. ત્યારબાદ શ્રીલંકાની ટીમે 2 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી હતી.સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંજના સાત વાગ્યા બાદ ટી-20 મેચ રમાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારત-શ્રીલંકા T20/ODI શેડ્યૂલ

શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી કરશે. T20 સિરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ સિરીઝ બાદ બંને દેશોની વનડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

શ્રીલંકા સામે ભારતની T20 ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન , રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ , દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">