IND vs SL: મોહાલી ટેસ્ટ દરમિયાન શ્રીલંકા પર મુસીબત આવી, એક બોલર ઈજાના કારણે બહાર થઇ ગયો

બોલર લાહિરુ કુમારને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગી શકે છે. અને, જો આમ જ ચાલુ રહેશે તો લાહિરુ ભારત સામે બીજી અને અંતિમ ટેસ્ટ પણ નહીં રમે.

IND vs SL: મોહાલી ટેસ્ટ દરમિયાન શ્રીલંકા પર મુસીબત આવી, એક બોલર ઈજાના કારણે બહાર થઇ ગયો
Lahiru Kumara ને ઇજામાંથી સાજા થવામાં સમય લાગશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 10:24 AM

મોહાલી ટેસ્ટ (Mohali Test) માં શ્રીલંકાની ટીમ મુશ્કેલીમાં છે. તેમનો એક બોલર લાહિરુ કુમારા (Lahiru Kumara) ઈજાના કારણે હવે આ ટેસ્ટ મેચમાં બોલિંગ કરતો જોવા મળશે નહીં. લાહિરુને ટેસ્ટ મેચના પહેલા દિવસે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. એવી આશા હતી કે તે બીજા દિવસે ટીમ માટે બોલિંગ કરતો જોવા મળશે. પરંતુ, હવે સમાચાર છે કે તે મોહાલી ટેસ્ટમાં આગળ બોલિંગ કરતો જોવા મળશે નહીં. તેમને તેમની હેમસ્ટ્રિંગની ઈજા (Hamstring Injury) માંથી સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગી શકે છે. અને, જો આમ જ ચાલુ રહેશે તો લાહિરુ ભારત સામે બીજી અને છેલ્લી ટેસ્ટ પણ નહીં રમે.

મોહાલી ટેસ્ટના પહેલા દિવસે ત્રીજા સેશનમાં બોલિંગ કરતી વખતે લાહિરુ કુમારાને ઈજા થઈ હતી. ચાના સમય બાદ બોલિંગ કરવા આવેલા લાહિરુ કુમારા દાવમાં પોતાની 11મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે આ ઓવરના પહેલા પાંચ બોલ કોઈ પણ મુશ્કેલી વિના લીધા, પરંતુ જેવો તે છેલ્લા બોલ માટે તેના રન-અપના માર્ક સુધી પહોંચ્યો, તેને તેના પગમાં થોડો દુખાવો થયો અને તે અટકી ગયો. લાહિરુએ તેના કેપ્ટન દિમુથ કરુણારત્ને સાથે વાત કરી અને પછી તેની સલાહ લીધા બાદ ઓવર ત્યાં છોડીને પેવેલિયન પરત ફર્યો. લાહિરુના ગયા પછી, પાર્ટ-ટાઈમ સ્પિનર ​​ચરિત અસલંકાએ તેની ઓવર પૂરી કરી હતી.

ઈજાને ઠીક થવામાં બે અઠવાડિયા લાગી શકે છે

પ્રથમ દિવસની રમત બાદ લાહિરુ કુમારાએ એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતું, જેમાં તેની હેમસ્ટ્રિંગની ઈજા જાહેર થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયાનો સમય લાગશે. આ સ્થિતિમાં તેની બીજી ટેસ્ટમાં રમવાની શક્યતાઓ પણ ઓછી છે. લાહિરુ શ્રીલંકાની ટીમમાં હાજર સૌથી ઝડપી બોલર છે. પ્રથમ દિવસે તે મેચમાં સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, ઈજાના કારણે માત્ર એક બોલર જ ઓછો થયો નથી. પરંતુ તેમાં પણ મોટો ફટકો પડ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેદાન છોડતા પહેલા રોહિતનો શિકાર કર્યો હતો

લાહિરુ કુમારાએ ઈજાના કારણે મેદાન છોડતા પહેલા 10.5 ઓવરની બોલિંગમાં 52 રનમાં 1 વિકેટ લીધી હતી. તેણે આ વિકેટ પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં રોહિત શર્માના રૂપમાં લીધી હતી. મોહાલી ટેસ્ટમાં પણ ભારત માટે આ પહેલો આંચકો હતો.

આ પણ વાંચોઃ Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

આ પણ વાંચોઃ Sabarkantha: 1.40 કરોડની ચોરી કરનાર 5 આરોપી ઝડપાઇ ગયા હવે ફરીયાદી નથી મળતો! સંબધ બાંધી યુવકે રુપિયાનો પોટલુ સેરવ્યુ

આ પણ વાંચોઃ Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">