IND vs SA: વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા માટે સ્વર્ગ છે જોહાનિસબર્ગ! શાનદાર બેટીંગ રેકોર્ડ સાથે યાદગાર પ્રદર્શન નોંધાવી ચુક્યા છે
ભારતીય ટીમ (Team India) ટેસ્ટ સિરીઝ પર કબ્જો કરવાના ઇરાદા સાથે બીજી ટેસ્ટમાં ઉતરશે. આ મેદાન પર હકારાત્મક પાસુ એ છે કે અહી ભારતીય ટીમ ક્યારેય ટેસ્ટ મેચ હાર્યુ નથી.
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે આવતીકાલે સોમવારથી ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાનારી છે. જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાનારી આ મેચમાં ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો રેકોર્ડ સારો છે. તો વળી આ ઉપરાંત નબળા ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) નો પણ રેકોર્જ સારો રહ્યો છે. પુજારા અને કોહલી આ મેદાન પર અગાઉ શતક નોંધાવી ચુક્યા છે. આમ ફરી એકવાર આ ત્રીપુટીનુ પ્રદર્શન શાનદાર રહેશે તો ભારતીય ટીમ સિરીઝ જીતવાના સપનાને સાકાર કરી શકે છે.
ટીમ ઇન્ડિયા એ ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયનમાં 113 રને જીતી લીધી હતી. આમ ભારત સિરીઝમાં 1-0ની સરસાઇ સાથે આગળ છે. આમ જો જોહાનિસબર્ગમાં પણ જીત મેળવે તો સિરીઝમાં ભારત અજેય બની શકે છે. સાથે જ અત્યાર સુધી એક પણ ટેસ્ટ સિરીઝ નહી જીતવાના ડાઘને પણ ભૂંસી શકે છે.
જોહાનિસબર્ગમાં વિરાટ કોહલીના નામે 310 રન નોંધાયેલા છે. જે કોઇ પણ ભારતીય બેટ્સમેન તરફ થી સૌથી વધુ છે. કોહલીએ અહી અગાઉ 2 ટેસ્ટ મેચ રમી છે અને જેમાં 4 ઇનીંગ રમીને તેણે આ રન નોંધાવ્યા છે. જેમાં તેણે એક શતક અને 2 અર્ધશતક નોંધાવ્યા હતા. આમ તેણે 77 ની સરેરાશ સાથે રન કર્યા છે. તેણે અહીના મેદાનમાં તે 4 ઇનીંગ દરમિયાન 42 ચોગ્ગા પણ ફટકાર્યા છે.
પુજારા અને રહાણેનો પણ શાનદાર રેકોર્ડ
કેપ્ટન બાદ પુજારા અને રહાણે પણ અહી પોતાનો શાનદાર રેકોર્ડ ધરાવે છે. ચેતેશ્વર પુજારાએ જોહાનિસબર્ગમાં 229 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને એક અર્ધશતક નોંધાવ્યુ છે. તેણે 153 રનની શાનદાર ઇનીંગ અહી રમી હતી. પુજારાએ અહી 2 ટેસ્ટ મેચમાં 4 ઇનીંગ રમી છે. જેમાં તેણે 58 રનની સરેરાશ થી રન નોંધાવ્યા છે. તે આ મેદાનમાં 31 ચોગ્ગા ફટકારી ચુક્યો છે.
અજિંક્ય હાણે આ મેદાનમાં આ પહેલા રમી ચુક્યો છે. જ્યાં તે 2 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને અહી તે બે વાર અર્ધશતકના આરે પહોંચીને આઉટ થયો છે. જોકે તેણે આ મેદાન પર 119 રન નોંધાવ્યા છે.