IND vs SA: ઋષભ પંતે સિરીઝ ડ્રો થવા બાદ પોતાની ભૂલનો કર્યો સ્વિકાર, ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ

સિરીઝમાં ભારત (Indian Cricket Team) ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, જ્યારે તેઓ પ્રથમ બે મેચ હારી ગયા હતા. આ પછી ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા.

IND vs SA: ઋષભ પંતે સિરીઝ ડ્રો થવા બાદ પોતાની ભૂલનો કર્યો સ્વિકાર, ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ
Rishabh Pant થોડો નિરાશ થયો હતો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:59 AM

રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની પાંચમી અને નિર્ણાયક T20 મેચ ધોવાઇ ગયા બાદ, બંને ટીમો વચ્ચે શ્રેણી સંયુક્ત રહી હતી, જેનાથી ભારતીય ટીમનો કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) થોડો નિરાશ થયો હતો. પરંતુ તેણે કહ્યું હતું કે આ શ્રેણીથી ભારતીય ટીમ (Indian Cricket Team) ને ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા છે. ભારતે પ્રથમ બે મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરીને પછીની બે મેચ જીતીને શ્રેણી 2-2 થી બરાબર કરી લીધી હતી ત્યારબાદ રવિવારે સિરીઝની અંતિમ મેચ માત્ર 3.3 ઓવરની રમત રમ્યા બાદ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે તક સર્જાઈ હતી કે દક્ષિણ આફ્રિકાને ઘર આંગણે સિરીઝમાં હરાવી નહી શકવાનો સિલસિલો તોડી શકાયો હોત.

મેચની શરૂઆત પહેલા જ વરસાદ આવ્યો અને મેચ શરૂ થવામાં 50 મિનિટનો વિલંબ થયો, જેના કારણે મેચ 19 ઓવરની થઈ ગઈ. ભારતીય ઈનિંગની ચોથી ઓવરમાં વરસાદે ફરી એકવાર વિક્ષેપ પાડ્યો અને મેચ ફરી શરૂ થઈ શકી નહીં. બીજી વખત વરસાદ બંધ થયો ત્યાં સુધી ભારતે 3.3 ઓવરમાં બે વિકેટે 28 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન માત્ર 16 મિનિટની રમત રમાઈ શકી હતી.

ટીમ ઈન્ડિયાએ જુસ્સો બતાવ્યો

પંતે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કહ્યું હતું કે, તે થોડી નિરાશાજનક હોઈ શકે છે પરંતુ તેમાં ઘણી સકારાત્મકતાઓ છે, ખાસ કરીને જે રીતે આખી ટીમે 0-2 થી પાછળ પડી ગયા બાદ જુસ્સો દર્શાવ્યો હતો. અમે મેચ જીતવા માટે અલગ-અલગ રસ્તા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અમે નવી રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભૂલો થાય છે પરંતુ અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. મને લાગે છે કે પહેલીવાર મેં આટલા બધા ટોસ ગુમાવ્યા (પંતે શ્રેણીમાં પાંચેય ટોસ ગુમાવ્યા) પરંતુ તે મારા નિયંત્રણમાં નથી તેથી હું તેના વિશે વધુ વિચારી રહ્યો નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર

પંતે કહ્યું કે ટીમની નજર હવે ઈંગ્લેન્ડમાં 1 થી 5 જુલાઈ દરમિયાન યોજાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ જીતવા પર છે. તેણે કહ્યું, “ટીમના દૃષ્ટિકોણથી, હવે ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ મેચ જીતવી છે અને વ્યક્તિગત રીતે હું ટીમની જીતમાં વધુ યોગદાન આપવા માંગુ છું.”

કેશવ મહારાજ મેચ રદ્દ થવાથી નિરાશ

સાઉથ આફ્રિકાના સ્ટેન્ડ-ઈન કેપ્ટન કેશવ મહારાજ પણ મેચ રદ્દ થવાથી નિરાશ થયો હતો. મહારાજે કહ્યું, તે ખૂબ જ નિરાશાજનક છે કે આખી મેચ રમાઈ ન હતી. આ એક રોમાંચક પ્રવાસનો રોમાંચક અંત હોત પરંતુ આપણે હવામાનને નિયંત્રિત કરી શકતા નથી. જો તમે જુઓ કે અમે શરૂઆતની મેચોમાં કેટલાક સંયોજનો અજમાવ્યા હતા. અમારું કામ પ્રગતિ પર છે અને વર્લ્ડ કપ પહેલા અમારી ટીમ કેવી રહેશે તે જોવા માટે અમે અલગ-અલગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. તેણે કહ્યું કે, તે એક મજબૂત ભારતીય ટીમ હતી જેનો અમે સામનો કર્યો હતો પરંતુ અમે કંઈપણ હળવાશથી લેવા માંગતા ન હતા.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">