IND vs PAK: સૌરવ ગાંગુલી ઈચ્છી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, પાકિસ્તાનના વિકેટકિપરે કર્યો દાવો!

પાકિસ્તાન (Pakistan) તેની કરતૂતોથી સુધરતુ નથી, જેથી બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો પણ કપાયેલા છે. આ દરમ્યાન હવે પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે (Kamran Akmal) ક્રિકેટ સંબંધોને લઈ વાત છેડી છે.

IND vs PAK: સૌરવ ગાંગુલી ઈચ્છી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, પાકિસ્તાનના વિકેટકિપરે કર્યો દાવો!
Kamran Akmal-Sourav Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 7:38 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ના ક્રિકેટ સંબંધો 8-9 વર્ષથી કપાઈ ચુક્યા છે. પાકિસ્તાનની કરતૂતોને લઈને બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ લાગ્યુ હતુ. આ દરમ્યાન હવે પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે (Kamran Akmal) ક્રિકેટ સંબંધોને લઈ વાત છેડી છે. તેણે એટલે સુધી કહી દીધુ છે કે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના મનમાં શું ચાલી રહ્યું છે.

વર્ષ 2012-13 દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બાઈલેટરલ સિરીઝ રમાઈ હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે શ્રેણીનું આયોજન થતુ નથી. માત્ર ICC ટૂર્નામેન્ટોમાં જ બંને દેશો એકબીજાની સામે મેદાને ઉતરે છે. અનેકવાર બંને દેશો વચ્ચે શ્રેણી રમાવાને લઈને ચર્ચાઓ થતી રહે છે. પરંતુ પાકિસ્તાન તરફથી સરહદ પર થતી હરકતોથી ચર્ચાઓ ઓસરી જતી હોય છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સૌરવ ગાંગુલી પણ ઈચ્છી રહ્યા છે!

મીડિયા રીપોર્ટનુસાર કામરાને કહ્યું હતુ, સૌથી મોટુ ફેકટર સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ હોવુ છે. તેમણે પાકિસ્તાન સામે અનેક મેચ રમી છે. એવામાં બંને દેશો વચ્ચે ક્રિકેટ વચ્ચેની ભૂમિકાનું મહત્વ તે વધુ સારી રીતે સમજે છે. મને લાગે છે કે, તેઓ પણ એ જ ઈચ્છતા હશે તે ભારત પાકિસ્તાન વચ્ચે ફરીથી ક્રિકેટ રમતા જોવા મળે. હું ચોક્કસ પણે કહી શકુ છુ કે તેઓ આમ જ વિચારી રહ્યા હશે. મેં તેમની સાથે રમત રમી છે, તેઓ એમ જ વિચારી રહ્યા હશે.

WTC અંતર ઘટાડવા મદદરુપ બનતુ

આગળ વાત કરતા અકમલે કહ્યું હતુ, ICCની પણ ભારત પાકિસ્તાન વચ્ચે મેચો શરુ કરાવવાને લઈને મોટી ભૂમિકા હોઈ શકે છે. તેઓએ કહ્યું હતુ કે જો બંને દેશો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આમને સામને થયા હોત તો અમારા સંબંધોનું અંતર મટી શક્યુ હોત.

કામરાન અકમલે સોશિયલ મીડિયા વીડિયો દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે અગાઉ રમાયેલ મેચો અંગે પણ વાત કરી હતી. તેણે તે મેચોના રોમાંચ અને માહોલના સંદર્ભે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતુ, પહેલા ભારત-પાકિસ્તાન જ્યારે મેદાન પર ટકરાતા ત્યારે બંને દેશોના દર્શકોના વચ્ચે રોમાંચ હિલોળા લઈ રહ્યા હતા. ટેન્શન પણ ખૂબ રહેતી હતી, જેનાથી મેચની મજા બેવડાઈ જતી હતી.

આ પણ વાંચો: T20 World Cup: અમદાવાદમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવાનો BCCI નો હતો પ્લાન, આ રીતે કરાયુ હતુ આયોજન

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">