INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડથી ખાલી હાથે પરત ફરશે વિશ્વનો નંબર 2 બોલર, સિરીઝમાં તક જ ના અપાઈ

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા તેને સૌથી મોટા હથિયાર તરીકે દર્શાવવામાં આવી રહ્યો હતો. જોકે જ્યારે જંગ શરુ થયો તો તેને તેમાં ઉતારાયો જ નહીં.

INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડથી ખાલી હાથે પરત ફરશે વિશ્વનો નંબર 2 બોલર, સિરીઝમાં તક જ ના અપાઈ
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:23 AM

આમ તો મોટા કદના ખેલાડીઓને ભાગ્યે જ બેન્ચ પર બેસાડવામાં આવે છે. પરંતુ કેટલીકવાર પરિસ્થિતિઓ અને એવા કોમ્બિનેશનની જરૂરીયાત હોય છે કે તેમને પણ તેમના વારાની રાહ જોવી પડે છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડમાં અશ્વિન (R. Ashwin) સાથે થયું. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા અશ્વિનને સૌથી મોટા ભારતીય હથિયાર તરીકે દર્શાવવામાં આવતો હતો. પરંતુ જ્યારે રમતનું ઘમાસાણ શરુ થયુ, ત્યારે અશ્વિન તેમાં ઉતર્યો પણ ન હતો.

એક તો પરિસ્થિતિ અને હવામાનના કારણે માહોલ ઝડપી બોલરોને અનુકૂળ હતો. બીજું, વિરાટ કોહલી આ કારણે ટીમના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરવા માંગતો ન હતો. જોકે ઓવલ ટેસ્ટ જીત્યા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી, ત્યારે 5મી એટલે કે માન્ચેસ્ટર ટેસ્ટમાં અશ્વિનને રમાડવા માટે હવા ચાલી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પરંતુ આ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા તે કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ અશ્વિનની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવાની અંતિમ આશા પણ છીનવાઈ ગઈ હતી. આ ઈંગ્લેન્ડનો પહેલો પ્રવાસ છે, જેમાં અશ્વિન ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો અને કોઈ મેચ રમ્યો ન હતો.

ટેસ્ટ સિરીઝમાં નહીં તો અહીં જરુર રમ્યો અશ્વિન

આમ તો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં અશ્વિન એક પણ મેચ નહોતો રમી શક્યો અને ફક્ત બેન્ચની શોભા વધારતો જોવા મળ્યો હતો. જોકે આ પહેલા તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ત્યારબાદ કાઉન્ટી ક્રિકેટમાં હિસ્સો લીધો હતો.

અશ્વિનને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મોકો મળવાની આશા ખૂબ હતી. માન્ચેસ્ટરમાં તે અગાઉ પણ બોલ સિવાય તેના બેટથી દમ 2014માં દેખાડી ચુક્યો છે. અશ્વિન ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે એટલે ભારતમાં પણ સફળ ઓલરાઉન્ડ દેખાવ ટેસ્ટ મેચ દરમ્યાન કર્યો હતો. જોકે ઈંગ્લેન્ડ સામે તેને ટીમમાં સમાવવાને લઈને ખૂબ શોર મચ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચો: Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">