IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે મેળવી આ ખાસ ઉપલબ્ધી, અત્યાર સુધીમાં જાડેજા સહિત ચાર ભારતીયો કરી ચુક્યા છે આ કમાલ

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઓવલ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. તેણે જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને શાર્દૂલ ઠાકુર સાથે મળીને ઇંગ્લેન્ડને ઝડપથી સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે મેળવી આ ખાસ ઉપલબ્ધી, અત્યાર સુધીમાં જાડેજા સહિત ચાર ભારતીયો કરી ચુક્યા છે આ કમાલ
Ravindra Jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:12 AM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઈંગ્લેન્ડ (England Cricket Team) સામેની ઓવલ ટેસ્ટમાં બોલિંગ વડે અદ્ભુત કામ કર્યું હતું. તેણે આ ટેસ્ટમાં ચાર બેટ્સમેનોને આઉટ કર્યા અને ઈંગ્લેન્ડ સામે જબરદસ્ત કારનામુ કર્યું. રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ અને 500 રનની કરનાર તે ચોથો ભારતીય ઓલરાઉન્ડર બન્યો છે. જાડેજાએ ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે હસીબ હમીદ અને મોઇન અલીની વિકેટ લીધી હતી. તે સાથે જે તેના દ્વારા તે આ ઉપલબ્ધી સુધી પહોંચ્યો હતો.

ઇંગ્લેન્ડ સામે જાડેજાએ હવે 51 વિકેટ ઝડપવા સાથે 672 રન બનાવ્યા છે. જાડેજા પહેલા કપિલ દેવ, વિનુ માંકડ અને રવિચંદ્રન અશ્વિન આ પરાક્રમ કરી ચૂક્યા છે. કપિલ દેવે ઇંગ્લેન્ડ સામે 85 વિકેટ લીધી અને 1355 રન બનાવ્યા હતા. જ્યારે માંકડ ની 54 વિકેટ અને 618 રન છે, અશ્વિને 88 વિકેટ સાથે અંગ્રેજો સામે 970 રન બનાવ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ ઓવલ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. તેણે જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર સાથે મળીને ઇંગ્લેન્ડને 210 રનમાં આઉટ કરવમાં ભૂમિકા નિભાવી હતી. આ સાથે ભારતે ચોથી ટેસ્ટ 157 રનથી જીતીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પાંચમા નંબરે બેટિંગ કરી હતી. જો કે તે ચાલી ના શક્યો અને મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. પરંતુ અગાઉની ટેસ્ટમાં તેણે સારી બેટિંગ કરી હતી અને ભારત માટે મહત્વના રન ઉમેર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં જાડેજાએ ચાર ટેસ્ટમાં 22.85 ની સરેરાશથી 160 રન બનાવ્યા છે અને છ વિકેટ લીધી છે.

ચોથી ટેસ્ટમાં ભારતની જબરદસ્ત રમત

ચોથી ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થયા બાદ જોરદાર વાપસી કરી હતી. પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડે 99 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ભારતે બીજા દાવમાં 466 રન બનાવ્યા હતા. જવાબમાં ઓપનર હસીબ હમીદ (62) અને રોરી બર્ન્સ (50) એ પ્રથમ વિકેટ માટે 100 રન ઉમેરીને ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ આ જોડી તૂટ્યા બાદ ભારતીય બોલરોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. આ બે સિવાય માત્ર ઇન-ફોર્મ કેપ્ટન જો રૂટ (36) 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.

નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે હેડિંગ્લે ખાતે ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં બરાબરી કરી હતી. પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં ઓલ્ડટ્રેફર્ડ મેદાનમાં રમાશે.

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ઓપનર રોહિત શર્મા માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈજાને લઈને બહાર રહેશે કે કેમ, જાતે જ આપ્યુ અપડેટ, જાણો

આ પણ વાંચોઃ ICC Award : જસપ્રિત બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળશે ! ICC એ ખાસ એવોર્ડ માટે ભારતીય ફાસ્ટ બોલરનું નામ મોકલ્યું

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">