IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાને ઇજા, મેદાનમાં ફિલ્ડીંગ કરવા થી દૂર રહ્યા

રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતની બીજી ઇનીંગમાંજબરદસ્ત બેટીંગ કરી હતી. જે બેટીંગ ઇનીંગ દરમ્યાન બંનેને એ વખતે ઇજા પહોંચી હતી.

IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાને ઇજા,  મેદાનમાં ફિલ્ડીંગ કરવા થી દૂર રહ્યા
Rohit Sharma-Cheteshwar Pujara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 11:12 PM

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ઓવલમાં ચાલી રહેલ ચોથી ટેસ્ટથી ભારત માટે ખરાબ સમાચાર છે. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સંપૂર્ણ રીતે ફિટ નથી. બંને ખેલાડીઓ જેને લઇ ચોથા દિવસની રમતમાં ફીલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નથી. રોહિત શર્માના ડાબા ઘુંટણ અને પુજારાના પગમાં હજુ પણ ઇજાનુ દર્દ છે. આ જ દરમ્યાન બંને મેદાનમાં નહી ઉતરે. BCCI દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ચોથા દિવસની રમત દરમ્યાન ભારતીય ઇનીંગના 466 રન પર સમેટાઇ હતી. એવામાં સૂર્યકુમાર યાદવને ફિલ્ડીંગ માટે ઉતર્યો હતો. ભારતે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો પડકાર રાખ્યો છે. ટીમ ઇન્ડીયાના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં રોહિત શર્મા અને પુજારાનુ મહત્વનુ યોગદાન રહ્યુ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોહિત શર્મા એ ભારતની બીજી ઇનીંગમાં શતક લગાવ્યુ હતુ, જ્યારે પુજારા એ ફિફ્ટી લગાવી હતી. બંને એ બીજી વિકેટ માટે 153 રનની ભાગીદારીની રમત નોંધાવી હતી. આ દરમ્યાન રોહિતે ઈંગ્લેન્ડમાં પોતાનુ ટેસ્ટ શતક લગાવ્યુ હતુ તો તે પુજારા એ સીરીઝની બીજી ફીફટી લગાવી હતી. તેમ છતાં બેટિંગ દરમિયાન ફિજિયોની મદદ લેવી પડી હતી. પુજારાને મેદાનમાંજ જમણાં પગની સારવાર કરવી પડી હતી. વળી રોહિત શર્માને કેટલાક ઇંગ્લીશ બોલરોના બોલ પર ઇજા પહોંચી હતી.

BCCI એ શું જાણકારી આપી

બીસીસીઆઇ તરફ થી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા મેદાન પર નહી ઉતરેય રોહિતના ડાબા ઘુંટણમાં સમસ્યા છે. જ્યારે પુજારાના ડાબા પગમાં હજુ પણ ઇજાની પીડા વર્તાઇ રહી છે. બીસીસીઆઇની મેડીકલ ટીમ બંનેનુ ધ્યાન રાખી રહી છે. જોકે ભારતીય બોર્ડે એ નથી બતાવ્યુ કે પાંચમાં દિવસે પણ ફિલ્ડીંગમાં ઉતરશે કે નહી. ભારતીય ટીમના રોહિત અને પુજારા પૂર્ણ રીતે ફીટ નહી થવાના સમાચાર એવા સમયે આવ્યા છે, કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">