IND vs END : ઈગ્લેન્ડ સામેની ત્રીજી-ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેર, ઉમેશ યાદવનો સમાવેશ
IND vs END : અમદાવાદના મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આતંરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે યોજાનાર ઈગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ભારતે ટીમની જાહેરાત કરી છે.
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમમાં ઉમેશ યાદવ પરત ફર્યો છે. જો કે કુલદિપ શર્મા પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે. ચાર ટેસ્ટ મેચની આ શ્રેણીમાં ભારત અને ઈગ્લેન્ડ બન્ને એક એક મેચ જીતીને બરાબરી ઉપર છે. હવે પછીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ, અમદાવાદમા રમાશે. જેમાં ત્રીજી ટેસ્ટમેચ, આગામી 24 ફેબ્રુઆરીથી પિંક બોલથી ડે નાઈટ ટેસ્ટ મેચ મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમમાં રમાશે. પહેલી ટેસ્ટમેચ ઈગ્લેન્ડે 227 રનથી જીત્યુ હતું તો બીજી ટેસ્ટ મેચ ભારત 317 રને જીત્યુ હતું.
ભારતની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન) રોહીત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અંજીક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, હાર્દીક પંડ્યા, ઋષભ પંત ( વિકેટ કિપર), રિધ્ધીમાન સહા, આર. અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમંદ સિરાઝ.