IND vs AUS: 9.30 કલાકે શરુ થશે મેચ, 8-8 ઓવરની મેચ રમાશે, અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યા બાદ કર્યો નિર્ણય

નાગપુરના VCA સ્ટેડિયમમાં સાંજે 6.30 વાગ્યે ટોસ થનાર હતો, પરંતુ અમ્પાયરોએ મેદાનની સ્થિતી જોઈને તેને મોકૂફ રાખ્યો હતો અને હાલમાં તેઓ મેદાન સૂકાય તેની રાહ જોવામા આવી રહી હતી, હવે 9.15 મિનિટે ટોસ કરાશે

IND vs AUS: 9.30 કલાકે શરુ થશે મેચ, 8-8 ઓવરની મેચ રમાશે, અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યા બાદ કર્યો નિર્ણય
Nagpur stadium ના મેદાનને કોરુ કરવા માટે પ્રાયસ કરાઈ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:02 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માં બરાબરી કરવા આતુર છે. મોહાલીમાં પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને નાગપુરમાં સિરીઝની બીજી મેચમાં આ તક છે, પરંતુ તે થશે કે નહીં, તે અત્યારે ટીમ ઈન્ડિયા (Team India) ના હાથમાં નહોતુ. કારણ કે વરસાદને લઈ મેદાન ભીનુ હતુ. નાગપુર (Nagpur Stadium) માં બે-ત્રણ દિવસના વરસાદને કારણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનું મેદાન એટલું ભીનું થઈ ગયું હતુ કે વરસાદ બંધ થયા પછી પણ તે સંપૂર્ણપણે સુકાયું નહોતુ અને મેચનો ટોસ લગભગ બે કલાક માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ક્રિકેટ ચાહકોને માટે સારા સમાચાર છે કે મેચ 9.30 કલાકે શરુ થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

9.15 વાગે ટોસ ઉછાળવામાં આવનાર છે અને 9.30 વાગે મેચ શરુ થશે. જોકે મેચને નિર્ધારીત 20-20 ઓવરના બદલે 8-8 ઓવરની રમાડવામાં આવશે. એટલે કે નિર્ધારીત ઓવર્સ કરતા 12-12 ઓવર કાપી લેવામાં આવી છેે. જોકે રાહતની વાત એ છે કે, મેચની રાહ જોઈ રહેલા ચાહકોને મેચ જોવા મળશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મેચમાં પાવર પ્લે માત્ર 2 ઓવરનો રહેશે અને 1 બોલર વધુમાં વધુ માત્ર 2 ઓવર જ કરી શકશે. મેચ દરમિયાન ડ્રીંક્સ બ્રેક રહેશે નહીં.

નાગપુરમાં યોજાનારી આ મેચ પર સતત વરસાદની સંભાવના વર્તાઈ રહી હતી અને તે જ જોવા મળ્યું હતું. વરસાદના કારણે બંને ટીમો એક દિવસ પહેલા પ્રેક્ટિસ કરી શકી ન હતી અને હવે એક દિવસ પછી પણ તેની અસર જોવા મળી રહી છે. નાગપુરમાં દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ હતું પરંતુ જમીન સંપૂર્ણપણે સુકાઈ શકી ન હતી. જેના કારણે ટોસ સતત મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ટૉસ સમયસર ના થયો

આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 6.30 વાગ્યે અપડેટ આપ્યું હતું કે ટોસમાં વિલંબ થશે. ટોસ 6.30 વાગ્યે જ થવાનો હતો. બોર્ડે કહ્યું હતુ કે અમ્પાયર 7 વાગે નિરીક્ષણ કરશે અને પછી નિર્ણય લેશે. 7 વાગે ચેકિંગ કર્યા બાદ અમ્પાયરોએ ફરી એક કલાક રાહ જોવાનું નક્કી કર્યું અને હવે 8 વાગે ઈન્સ્પેક્શન કરવામાં આવશે. ત્યાર બાદ 8.45 વાગે અંપાયરો દ્વારા નિરીશ્રણ કરવામાં આવનાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. આમ સ્ટેડિયમમાં દર્શકો 6.30 કલાકે ટોસ થવા અને 7 વાગે મેચ શરુ થવાની રાહજોઈ રહ્યા હતા. પરંતુ આખરે 8.45 વાગ્યે થયેલા ઇન્સપેક્શન બાદ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત થઈ રહ્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">