ICC T20 World Cup: ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં સામેલ, જાણો ટીમ ઇન્ડીયાનુ પુરુ શિડ્યૂલ

UAE માં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપમાં 12 ટીમો ભાગ લઈ રહી છે. આ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને બીજા ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ICC T20 World Cup: ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં સામેલ, જાણો ટીમ ઇન્ડીયાનુ પુરુ શિડ્યૂલ
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:42 AM

BCCI એ આગામી મહિને યોજાનારા ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માટે ટીમની જાહેરાત કરી છે. આ વખતે ભારત T20 વર્લ્ડ કપનુ આયોજક છે. જોકે BCCI કોરોનાને કારણે ભારતને બદલે UAE માં તેનું આયોજન કરી રહ્યું છે. ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લઈ રહી છે જે બે અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલી છે. આઈસીસી T20 રેન્કિંગમાં ટોચની આઠ ટીમો ઉપરાંત ક્વોલિફાયર રાઉન્ડમાંથી ચાર ટીમો પસંદ કરવામાં આવશે.

ગ્રુપ 1 અને ગ્રુપ 2 સહિત કુલ આઠ ટીમો સુપર 12 માં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે બાકીની આઠ ટીમો સુપર 12 માં સ્થાન મેળવવા માટે પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર રમતી જોવા મળશે. આ આઠ ટીમો ગ્રુપ A અને ગ્રુપ B માં વહેંચાયેલી છે. બંને જૂથની ટોચની બે ટીમો સુપર 12 માં સ્થાન મેળવશે.

ગ્રુપ 2 માં ભારતનો સમાવેશ

આ ટુર્નામેન્ટમાં ભારતને બીજા ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની શાનદાર મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બંનેને આ વર્લ્ડ કપના ગ્રુપ 2 માં રાખવામાં આવ્યા છે. આ બે ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ ભારતના ગ્રુપમાં સમાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી, તેના રમવા વિશે શંકા હતી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ગ્રુપ -1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2 વિજેતાઓ

ગ્રુપ -2: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1 વિજેતાઓ

ટુર્નામેન્ટમાં ભારતનું શિડ્યૂલ

24 ઓક્ટોબર – ભારત vsપાકિસ્તાન 31 ઓક્ટોબર – ભારત vs પાકિસ્તાન 3 નવેમ્બર – ભારત vs અફઘાનિસ્તાન 5 નવેમ્બર – ક્વોલિફાયર vs ભારત (ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ બીનો વિજેતા) 8 નવેમ્બર-ક્વોલિફાયર vs ભારત (ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગ્રુપ એમાંથી રનર અપ ટીમ)

ક્વોલિફાયર રાઉન્ડમાં આઠ ટીમો

રાઉન્ડ -1 માં આઠ ટીમો હશે, જેમાં ઓટોમેટિક ક્વોલિફાયર શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ ટીમો ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ દ્વારા ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર છ ટીમો સામે રમશે. આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબીયા ગ્રુપ એમાં શ્રીલંકા સાથે હશે જ્યારે ઓમાન, પીએનજી, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ ગ્રુપ બીમાં હશે. આ બે ગ્રુપની ટોચની બે ટીમો સુપર 12 માં સામેલ થશે.

T20 વિશ્વકપ માટે 15 સભ્યની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી.

સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર.

આ પણ વાંચોઃ T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

આ પણ વાંચોઃ T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">