પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન Zaheer Abbas હોસ્પિટલમાં દાખલ, ક્રિકેટ ચાહકોમાં ઉચાટ, આ રોગ બન્યો જીવલેણ!

Cricket : એવા અહેવાલ છે કે દુબઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઝહીર અબ્બાસ (Zaheer Abbas) ની તબિયત બગડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈથી લંડન જતી વખતે તે કોરોના (COVID-19) સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન Zaheer Abbas હોસ્પિટલમાં દાખલ, ક્રિકેટ ચાહકોમાં ઉચાટ, આ રોગ બન્યો જીવલેણ!
Zaheer Abbas (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 8:39 AM

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસ (Zaheer Abbas) ની તબિયત લથડી છે. હાલ ઈંગ્લેન્ડમાં તેની સારવાર ચાલી રહી છે. તેમને લંડનની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝહીર અબ્બાસના પરિવારે જિયો ન્યૂઝને આપી હતી. એવા અહેવાલ છે કે દુબઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન અબ્બાસની તબિયત બગડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તે લંડન જતી વખતે દુબઈમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે તે લંડન પહોંચ્યા ત્યારે તેમને કિડનીમાં દુખાવાની અને ન્યુમોનિયાની ફરિયાદ કરી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઝહીર અબ્બાસને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દિગ્ગજ ક્રિકેટરના પરિવારે તેના ચાહકોને પ્રાર્થનાની અપીલ કરી છે. જો સૂત્રોનું માનીએ તો તે હાલમાં સારવાર હેઠળ છે અને આ દરમિયાન ડોક્ટરે ઝહીર અબ્બાસને લોકોને મળવાની મનાઈ કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઝહીર અબ્બાસની તબિયત બગડવાથી ક્રિકેટ જગતમાં હડકંપ

ઝહીર અબ્બાસ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલના ICU માં દાખલ ઝહીર અબ્બાસ માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેના સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી રહી છે.

ઝહીર અબ્બાસની ક્રિકેટ કારકિર્દી

એશિયન બ્રેડમેન તરીકે જાણીતા ઝહીર અબ્બાસ (Zaheer Abbas) એ વર્ષ 1969 માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે પોતાના સમયના મહાન બેટ્સમેન ગણાતા હતા. જેમણે પાકિસ્તાન માટે 72 ટેસ્ટમાં 5062 રન અને 62 વનડેમાં 2572 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝહીર અબ્બાસે 459 મેચમાં 34,843 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 સદી અને 158 અડધી સદી ફટકારી છે. આ સિવાય તે એક ટેસ્ટ અને 3 વનડેમાં મેચ રેફરી પણ રહી ચુક્યા છે. વર્ષ 2020 માં તેને જેક કાલિસ અને લિસા સ્થલેકર સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">