England Tour: ટીમ ઈન્ડીયાનો ઓપનર ઘાયલ થતાં બહાર થવાનું સંકટ તોળાયુ, ઈજાથી સ્વસ્થ થવામાં સમય લાગી શકે

ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે, જે સપ્ટેમ્બર સુધી ચાલનારી છે. 4 ઓગસ્ટથી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનાર છે.

England Tour: ટીમ ઈન્ડીયાનો ઓપનર ઘાયલ થતાં બહાર થવાનું સંકટ તોળાયુ, ઈજાથી સ્વસ્થ થવામાં સમય લાગી શકે
Rohit Sharma-Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 7:16 AM

ટીમ ઈન્ડીયા (Team India)ના ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડ (England)માં રજાઓ ગાળી રહ્યા છે. બાયોબબલથી ફ્રી રહેવા માટે સમય મળ્યો છે, જેનો ખેલાડીઓ ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. જોકે આ દરમ્યાન જ ભારતીય ટીમ ઓપનર બેટ્સમેન શુભમન ગીલ (Shubman Gill) ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાને લઈ શુભમન ગીલ પર શરુઆતની મેચોની રમતથી બહાર થવાનું સંકટ તોળાયુ છે.

શુભમન ગીલને આંતરિક ઈજા પહોંચી છે, જેના સંદર્ભે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. તેની ઈજાને લઈને કેવી સ્થિતી છે અને સર્જરીની જરુરીયાત અંગે પણ કોઈ જ અપડેટ જાહેર થયા નથી. ઓપનર શુભમનની ઈજાને લઈને ટીમ ઈન્ડીયા માટે આ એક ઝટકો આપનારા સમાચાર છે. જેની પર હવે ટીમ મેનેજમેન્ટની નજર સતત છે. મીડિયા રિપોર્ટનુસાર, બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું હતુ એવી સંભાવના છે કે ગીલ સંપૂર્ણ ટેસ્ટ પ્રવાસથી જ બહાર થઈ શકે છે. જોકે તે હજુ એક મહિનો દૂર છે. અમને જાણકારી એવી મળી રહી છે કે ઈજા ગંભીર છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે, તે મુજબ તેની પીંડીઓ કે માંસપેશીઓમાં ઈજા પહોંચી છે. માંસપેશીઓ ખેંચાઈ જવાની સમસ્યા હોવાનું કહેવાઈ રહ્યુ છે. જેમાંથી સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. જોકે એ પણ સ્પષ્ટ નથી કે તેને ઈજા ક્યારે પહોંચી હતી. હાલના સમયે ગીલ ઈંગ્લેન્ડમાં ફિઝીયો નિતીન પટેલ અને સ્ટ્રેન્થ એન્ડ કંડિશનીંગ કોચ સોહમ દેસાઈ સાથે છે. તેઓ તેની પર સતત નિરીક્ષણ રાખી રહ્યા છે.

ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે, જે સપ્ટેમ્બર સુધી ચાલનારી છે. 4 ઓગસ્ટથી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનાર છે, એવામાં સંભાવના છે કે તે સિરીઝની અંતિમ ટેસ્ટ દરમ્યાન પરત ફરી શકે.

અગ્રવાલ, રાહુલ અને ઈશ્વરનને તકની સંભાવના

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી શુભમન ગીલના બહાર થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. જેને લઈ ઓપનરનું સ્થાન મયંક અગ્રવાલ અથવા કેએલ રાહુલ દ્વારા ભરપાઈ થઈ શકે છે. આ બંનેમાંથી કોઈ એકની અંતિમ ઈલેવનમાં પસંદગી થઈ શકે છે. બંગાળના ઓપનર બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન માટે મુખ્ય ટીમમાં સામેલ થવાનો દ્વારા ખુલી શકે છે. જે હાલમાં ટીમ સાથે સ્ટેન્ડ બાય સ્વરુપે સામેલ છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">