England Vs Pakistan: ઈંગ્લેન્ડ માટે નથી રમવા ઈચ્છતા આ 2 ખેલાડી, પાકિસ્તાન પ્રવાસ પહેલા કર્યો ઈન્કાર

ઈંગ્લેન્ડ (England Cricket Team) ના આ બંને સ્પિનરો હાલમાં ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં તેમને 7 મેચની T20 શ્રેણી રમવાની છે, પરંતુ 3 મહિના પછી તેઓ ટેસ્ટ શ્રેણી માટે આવવા માંગતા નથી.

England Vs Pakistan: ઈંગ્લેન્ડ માટે નથી રમવા ઈચ્છતા આ 2 ખેલાડી, પાકિસ્તાન પ્રવાસ પહેલા કર્યો ઈન્કાર
Moeen Ali અને Adil Rashid એ ટેસ્ટ ટીમમાં રમવાથી ના ભણી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:39 PM

બેન સ્ટોક્સની કેપ્ટન્સી અને બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ (England Cricket Team) નવી ઉર્જા અને નવા જોશમાં જોવા મળી રહી છે. આ બંનેના આગમન પહેલા, ઇંગ્લિશ ટીમ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી 17 ટેસ્ટ મેચમાંથી માત્ર 1 જ જીતી શકી હતી, જ્યારે તેને 10 થી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ફેરફાર બાદ એવું માની શકાય છે કે દરેક ઈંગ્લિશ ખેલાડી આ ટીમનો ભાગ બનવા ઈચ્છશે, પરંતુ બે ખેલાડીઓ એવા છે જેમણે ટેસ્ટ ટીમમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. મોઈન અલી (Moeen Ali) અને આદિલ રશીદે (Adil Rashid) ટેસ્ટ ટીમમાં સામેલ નથી થયા અને જોડાવવા ઈચ્છતા પણ નથી.

ટેસ્ટ ટીમમાં વાપસી કરવા તૈયાર નથી

ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર અને ODI-T20 ટીમના વાઇસ-કેપ્ટન મોઈન અલી અને મહાન લેગ-સ્પિનર ​​આદિલ રશીદે ટેસ્ટ ટીમમાં પરત ફરવાની ઓફરને ફગાવી દીધી છે. ઈંગ્લેન્ડની એક જાણિતીક્રિકેટ વેબસાઈટના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓને પાકિસ્તાન પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પરત ફરવાની ઓફર કરી હતી, પરંતુ બંને તેના માટે તૈયાર નથી.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ તાજેતરમાં જ ટેસ્ટ ટીમનો ભાગ બનેલા બે અનુભવી સ્પિનરોનો સંપર્ક કર્યો હતો અને ડિસેમ્બરમાં પાકિસ્તાનના પ્રવાસ માટે તેમની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ બંને ખેલાડીઓ સ્પિનર્સને આડેહાથ લેતા હતા. અલગ-અલગ કારણોસર ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત નથી અને ટીમનો હિસ્સો બની શકશે નહીં.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પાકિસ્તાન પ્રવાસ પહેલા ઇનકાર

રિપોર્ટમાં દાવો કર્યો છે કે મોઈન અલી પાકિસ્તાન પ્રવાસ પર ખેલાડીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઈને શંકામાં છે. એટલું જ નહીં, ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એવો છે, જ્યારે તે કેટલીક મોટી ફ્રેન્ચાઈઝી લીગમાં રમતા જોવા મળશે. મોઇનને દક્ષિણ આફ્રિકા અને UAEમાં શરૂ થનારી બે નવી T20 લીગની ટીમોએ કરારબદ્ધ કર્યા છે. આ બંને લીગ ડિસેમ્બર-જાન્યુઆરી આસપાસ શરૂ થવાની છે.

જો કે, મોઈન આગામી દિવસોમાં આ બાબતે કોચ મેક્કુલમ સાથે ઔપચારિક વાટાઘાટો કરવા તૈયાર છે અને તેના સ્ટેન્ડમાં ફેરફારની અપેક્ષા રાખી શકાય છે. મોઈને ગયા વર્ષે ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

રાશિદ-મોઈન T20 ટીમનો ભાગ છે

બીજી તરફ, લેગ-સ્પિનર ​​આદિલ રશીદે તેની ફિટનેસ, ખાસ કરીને ખભાની સમસ્યાને ટાંકીને કહ્યું છે કે તે વર્કલોડને મેનેજ કરવા માટે ટેસ્ટ ટીમમાં પાછો ફરશે નહીં. આ બંને ખેલાડીઓ હાલમાં ઈંગ્લિશ ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં યજમાન ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 મેચની T20 સિરીઝ રમવાની છે. બંને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમનો પણ ભાગ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">