T20 World Cup: ટીમ ઇન્ડિયાના કંગાળ પ્રદર્શન બાદ મચ્યો ‘હાહાકાર’, પ્લેયીંગ ઇલેવનને લઇને વિરાટ કોહલી સામે તપાસની કરાઇ માંગ

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ (Team India) પ્રથમ બે મેચ હાર્યા બાદ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

T20 World Cup: ટીમ ઇન્ડિયાના કંગાળ પ્રદર્શન બાદ મચ્યો 'હાહાકાર', પ્લેયીંગ ઇલેવનને લઇને વિરાટ કોહલી સામે તપાસની કરાઇ માંગ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:19 AM

T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં ટીમ ઇન્ડિયાએ ખૂબ જ કંગાળ પ્રદર્શન કર્યુ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હાર બાદ કેપ્ટન અને ટીમના નિર્ણયો પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. આ દરમિયાન ભારતના પૂર્વ પસંદગીકાર દિલીપ વેંગસરકરે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી અંગે તપાસની માંગ કરી છે.

વેંગસરકરે કહ્યું કે તેમણે ક્યારેય ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની T20 વર્લ્ડ કપ મેચમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતી જોઈ નથી. તેણે આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી વારંવાર બાકાત રાખવાને લઇ તપાસની પણ માંગ કરી હતી.

ન્યુઝીલેન્ડ સામે ભારતની આઠ વિકેટની હારના એક દિવસ બાદ વેંગસરકરે કહ્યું, ટીમ બિલકુલ ફોર્મમાં નહોતી અને ખેલાડીઓ થાકેલા દેખાતા હતા. ખબર નથી કે તે બાયો બબલ થાક હતો કે બીજુ કંઈક. મેં ઘણા સમયથી ખેલાડીઓના આવા હાવ ભાવમાં જોયા નથી. તેમણે કહ્યું, તે ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું. પછી તે બેટિંગ હોય કે બોલિંગ. આ ફોર્મેટમાં તમારે પહેલા જ બોલથી સારું પ્રદર્શન કરવું પડશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અશ્વિનને બહાર રાખવો તપાસનો વિષય

પ્રથમ બે મેચમાં ભારતે વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાને બે સ્પિનર તરીકે જોડીને અશ્વિનને બહાર રાખ્યો હતો. વેંગસરકરે કહ્યું, અશ્વિનને શા માટે વારંવાર બહાર રાખવામાંમાં આવે છે. આ તપાસનો વિષય છે. અશ્વિન દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્પિનર ​​છે અને તેના નામે 600થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. અશ્વિન સૌથી સિનિયર છે અને છતાં તેની પસંદગી થઈ રહી નથી.’

તેમણે કહ્યું, હું સમજી શકતો નથી. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં એક પણ મેચ રમી ન હતી. તો પછી તેને શા માટે પસંદ કરવામાં આવ્યો? આ મારા માટે એક રહસ્ય છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, રણનીતિ પર સવાલ!

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પોતાની રણનીતિથી બધાને ચોંકાવી દીધા હતા. સૌથી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને ટોપ ઓર્ડરમાં તક આપી અને આશ્ચર્યજનક રીતે ટીમે રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવી દીધો. રોહિત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતર્યો હતો. ટીમ ઈન્ડિયાની આ રણનીતિનો સૌ કોઇએ વિરોધ કર્યો છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ગઈ હતી અને હવે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">