Cricket: ફેન્સ સાથે સૂર્યકુમારે દિલ ખોલીને કરી વાતો, કહ્યુ ક્રિકેટર ના હોત તો ફિલ્મી પડદાનો અભિનેતા થતો
ક્રિકેટરો પણ તેમના ફેન્સને સવાલના જવાબ આપી ફેન્સને આનંદ કરાવતા હોય છે. ક્યારેક મનની વાત પણ સવાલના જવાબમાં કહી દેતા હોય છે. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પણ આવી જ મનની વાતોને ફેન્સ સામે શેર કરી હતી.
ક્રિકેટ ફેન્સને હવે સોશિયલ મીડિયાનુ માધ્યમ મળતા જ પસંદગીના ક્રિકેટરો સાથે મનમાં થતા સવાલ પૂછી લેતા હોય છે. ક્રિકેટરો પણ તેમના ફેન્સને સવાલના જવાબ આપી ફેન્સને આનંદ કરાવતા હોય છે. ક્યારેક મનની વાત પણ સવાલના જવાબમાં કહી દેતા હોય છે. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પણ આવી જ મનની વાતોને ફેન્સ સામે શેર કરી હતી.
સૂર્યકુમાર યાદવે ફેન્સના સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, તે આજે ક્રિકેટર છે પરંતુ એમ ના હોત તો અભિનેતા બનવુ હતુ. સૂર્યને એક ફેનએ પૂછી લીધુ હતુ કે, તમારે માટે ક્રિકેટ કેટલી મહત્વની છે. જેના જવાબમાં તેણે કહ્યુ હતુ કે, જેટલો શ્વાસ લેવો જરુરી છે, તેટલું મારા માટે ક્રિકેટ મહત્વનું છે. તો સાથે જ સૂર્યએ ઉમેર્યુ કે, જો પોતે ક્રિકેટર ના હોત તો, એકટીંગ કરતો હોત, રણબીર કપૂર તેનો પસંદગીનો અભિનેતા હોવાનું બતાવ્યું હતું.
ફેન્સ સાથે સવાલ જવાબ સેશન દરમ્યાન સૂર્યએ વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન તેંડુલકર અને એમએસ ધોનીને એક વાક્યમાં વર્ણવ્યા હતા. તેણે કોહલીને પ્રેરણાં સ્ત્રોત, રોહિતને હિટમેન, ધોનીને લીજેન્ડ અને સચિનને ભગવાન બતાવ્યા હતા.
આ દરમ્યાન એક ફેન્સે તેને પુછ્યુ હતું કે, તમારો ફેવરેટ શોટ કયો છે. તો સૂર્યએ ફેન્સને ઇન્ટેલીજન્ટ જવાબ આપ્યો હતો. સૂર્યએ ઝાડુનો ફોટો જવાબમાં શેર કરી દીધો હતો, મતલબ કે સ્વિપ શોટ તેને ખૂબ પસંદ છે.
IPLમાં તેની ટીમ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, અમે એક પરિવારની માફક છીએ. દરેક ખેલાડી એકબીજાને સહયોગ કરે છે. જ્યારે ફેવરેટ ભોજન તરીકે બિરયાની બતાવી હતી.
તેણે T20 આંતરરાષ્ટ્રીયમાં ફટકારેલી ફિફટીને પસંદગીની ઇનીંગ બતાવી હતી. સૂર્યકુમારને લાંબી રાહ જોયા બાદ ઇંગ્લેંડ સામે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.